બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:28 PM, 6 July 2026
નોકરી છૂટી જવા પર કેન્દ્ર સરકાર સહાય પૂરી પાડી રહી છે. જેમાં ESIC એ અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજના (ABIY) ને જૂન 2027 સુધી લંબાવવામાં આવી છે. આ યોજનામાં પાત્ર વીમાધારક વર્કરને નોકરી છૂટી જવા પર પૈસા મળે છે. જેમાં તેમને તેમના એમ્પ્લોયરની મુલાકાત લેવાની પણ જરૂર નથી. આમ તે સરળતાથી ESIC બ્રાન્ચ દ્વારા કરી શકાય છે. આ યોજના 30 જૂન 2026 ના રોજ સમાપ્ત થવાની હતી પરંતુ સરકારે તેને વધુ એક વર્ષ માટે લંબાવી છે. અટલ બિમિત વ્યક્તિ કલ્યાણ યોજનાથી વીમાધારક વર્કરને તેમના દૈનિક ખર્ચને પૂરો કરવા માટે અમુક સમયગાળા માટે પૈસા મળે છે.
ADVERTISEMENT
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની અધ્યક્ષતામાં મળેલી ESIC ની 198મી બેઠકમાં આ એક્સટેન્સનને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજના હવે 1 જુલાઈ 2026 થી 30 જૂન 2027 સુધી લાગુ રહેશે.
ADVERTISEMENT
આ યોજનાનો લાભ લેવા માટે કર્મચારીએ ESIC માં રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. તેઓ ઓછામાં ઓછા બે વર્ષ સુધી વીમાકૃત એમ્પ્લોયમેન્ટ હોવા જોઈએ. જેમાં નોકરી ગુમાવ્યા પબાદ સરકાર વીમાધારકના પગારના 50 ટકા 90 દિવસ માટે આપે છે. આ સહાય લાઈફમાં માત્ર એક જ વાર મળે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ESIC એ EPFO થી સંપૂર્ણરીતે અલગ છે. જેમાં આ કંપનીનું પ્રાથમિક ધ્યાન મેડિકલ કેર અને સોશિયલ સિક્યોરિટી છે. જેમાં કર્મચારીઓને ESI કાયદા હેઠળ કવરેજ મળે છે. આ સંસ્થા મેડિકલ સંભાળ, માંદગી, પ્રસૂતિ, અપંગતા અને બેરોજગારી ભથ્થાં પૂરા પાડે છે. જેમાં નોકરી ગુમાવવાના કિસ્સામાં અટલ વીમાકૃત વ્યક્તિ કલ્યાણ યોજના હેઠળ પૈસા પૂરા પાડવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.