બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:46 PM, 6 July 2026
મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક રસ્તાઓ અને રહેણાંક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. પ્રશાસને ખાનગી કંપનીઓને વર્ક ફ્રોમ હોમ અમલમાં મૂકવાની સલાહ આપી છે જ્યારે સરકારી કર્મચારીઓને અડધા દિવસની રજા આપવામાં આવી છે. હવામાન વિભાગે અનેક વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ADVERTISEMENT
મુંબઈ, વસઈ-વિરાર અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન વ્યવહાર અને દૈનિક જીવન પર ગંભીર અસર પડી છે. લોકોને જરૂર ન હોય તો ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રશાસને ખાનગી કંપનીઓને કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા કરવાની ભલામણ કરી છે. સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓને અડધા દિવસની રજા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
Today, widespread flooding occurred following heavy rainfall in the Madhuban area of Vasai, Mumbai, India. #MumbaiRains pic.twitter.com/cH85MbMMD4
— Weather Monitor (@WeatherMonitors) July 4, 2026
ADVERTISEMENT
ખરાબ હવામાનના કારણે હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે.એરલાઇન કંપનીઓએ મુસાફરોને એરપોર્ટ જતાં પહેલાં ફ્લાઇટની સ્થિતિ ચકાસવાની સલાહ આપી છે, કારણ કે કેટલીક ફ્લાઇટ્સમાં વિલંબ અથવા ફેરફાર થઈ શકે છે.
Current visuals from Virar in Mumbai, India show widespread flooding as heavy rain continues. #MumbaiRains pic.twitter.com/9SIjYz257E
— Weather Monitor (@WeatherMonitors) July 6, 2026
ADVERTISEMENT
ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે પશ્ચિમ રેલવેની કેટલીક સેવાઓ ધીમી કરવામાં આવી છે, જ્યારે કેટલીક ટ્રેનો રદ પણ કરવામાં આવી છે. સફાલે સહિતના વિસ્તારોમાં રેલવે ટ્રેક પર પાણી ભરાતા લોકલ ટ્રેન સેવાઓને અસર પહોંચી છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ગુજરાત માટે આગામી 72 કલાક અતિભારે! જુલાઈમાં સિસ્ટમ રાજ્યભરમાં તાંડવ મચાવશે
વસઈ-વિરાર, મધુબન અને અન્ય અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ સર્જાઈ છે.રાયગઢ જિલ્લામાં નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહેતી હોવાથી પૂરનો ખતરો વધ્યો છે. મુંબઈ-ગોવા હાઇવેના કેટલાક ભાગોમાં પણ વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.
લોનાવાલામાં છેલ્લા 24 કલાક દરમિયાન 625 મિમી વરસાદ નોંધાયો છે, જે આ ચોમાસાની સૌથી વધુ દૈનિક વરસાદી નોંધ ગણાઈ રહી છે. સતત વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ પણ વધી રહી છે, જેના કારણે કેટલાક મહત્વપૂર્ણ માર્ગો તાત્કાલિક બંધ કરાયા છે.
રાજ્ય સરકારે લોકોને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને આપત્તિની સ્થિતિમાં સ્થાનિક તંત્રના માર્ગદર્શનનું અનુસરણ કરવા અપીલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.