બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / ઉનાળાની ગરમીના લીધે વાહનની માઈલેજ ઘટી જાય છે? જાણો સાચું કારણ
Last Updated: 08:39 PM, 21 May 2026
ઉનાળા દરમિયાન તડકામાં પાર્ક કરેલી કાર ગરમ થવા લાગે છે. ઘણા લોકોને એ પણ આશ્ચર્ય થાય છે કે શું તડકામાં પાર્કિંગ કરવાથી પેટ્રોલ ધીમે ધીમે બાષ્પીભવન થઈ શકે છે? જેમાં ઘણા લોકો ફરિયાદ કરે છે કે ઉનાળા દરમિયાન તેમની કારનું માઈલેજ પહેલા કરતા ઓઘટી જાય છે.
ADVERTISEMENT
જ્યારે માઈલેજ ઘટવાના સૌથી મોટા કારણો ડ્રાઇવિંગ સ્ટાઈલ અને ટ્રાફિકની સ્થિતિ છે તો ફ્યુઅલનું બાષ્પીભવન પણ એક પરિબળ હોય છે. જેમાં બીજા પ્રવાહીની જેમ ગરમી કે હવાના સંપર્કમાં આવવાથી પેટ્રોલ બાષ્પીભવન થાય છે. આ પ્રક્રિયા સ્લો હોય છે પરંતુ સમય જતાં નુકસાન પણ સાબિત થઇ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
સરળ શબ્દોમાં કહીએ તો તમે દરરોજ પેટ્રોલમાં થોડો ઘટાડો જોઈ શકો છો પણ દરરોજ નહીં. કેમ કે ગરમી પેટ્રોલનું બાષ્પીભવન કરે છે તેથી જો તેને લાંબા સમય સુધી તડકામાં છોડી દેવામાં આવે તો તમારું વાહન તેનું અમુક ફ્યુઅલ ગુમાવી શકે છે. આવું અનેક કારણોસર થાય છે. જેમાં ફ્યુઅલના બાષ્પીભવનના ઘણા સ્ત્રોત હોઈ શકે છે. આમાંથી એક ફ્યુઅલ ટાંકી પોતે હોય છે. જો ટાંકી યોગ્ય રીતે બંધ ન હોય તો ફ્યુઅલ બાષ્પીભવન થઈ શકે છે.
ADVERTISEMENT
જો ગેસ કેપ ક્ષતિગ્રસ્ત કે લુઝ હોય તો પેટ્રોલ પણ બાષ્પીભવન થઈ શકે છે. નવા વાહનો ગેસ કેપ સીલ સિસ્ટમ સાથે આવે છે જે બાષ્પીભવનને અટકાવે છે. આ સિવાય ઉનાળામાં ફ્યુઅલ માઇલેજ ઘટાડવાનું મુખ્ય કારણ AC પણ હોય છે. ઉનાળામાં AC નો વધુ ઉપયોગ થતો હોવાથી આ સ્થિતિ ફ્યુઅલ માઇલેજને પણ અસર કરે છે.
ADVERTISEMENT
'
ADVERTISEMENT
આવી સ્થિતિમાં તમારે ગેસ કેપને યોગ્ય રીતે બંધ કરવું જોઈએ. આ સિવાય તમારા વાહનને છાંયડામાં પાર્ક કરો અને તાપમાન ઓછું હોય ત્યારે રિફ્યુઅલ કરો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.