બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:29 PM, 1 October 2025
દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ખરાબ પર સારાની જીતની ઉજવણીનો તહેવાર છે. આ દિવસે રાવણ દહનની સાથે, દેવી-દેવતાઓ અને શસ્ત્રોની પૂજા કરવાનું પણ ખાસ મહત્ત્વ હોય છે. પરંતુ જો આ દિવસે કેટલાક ચોક્કસ ઉપાયો કરવામાં આવે તો જીવનમાં ઘણા શુભ પરિણામો મળી શકે છે.
ADVERTISEMENT

દશેરા પર આ ઉપાયો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવી શકે છે, જેનાથી સુખ, સમૃદ્ધિ આવે છે અને ધન લાભ થાય છે. જો ઘરમાં કોઈ વાસ્તુ દોષ હોય, કારકિર્દી નિષ્ફળ જઈ રહી હોય, અથવા કૌટુંબિક સમસ્યાઓ હોય, તો આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી આ સમસ્યાનું સમાધાન થઈ શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે, દશેરાના દિવસે જો ઘરે શમીનો છોડ લગાવવામાં આવે તો આનાથી ઘણા શુભ પરિણામ મળે છે. દશેરાના દિવસે ઘરની દક્ષિણ બાજુએ શમીનો છોડ લગાવવો જોઈએ. ઘરની નજીક શમીનો છોડ લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘર-પરિવારમાં ધન-સંપત્તિનો માર્ગ મોકળો થાય છે. દશેરા પર, રાવણ દહન કર્યા પછી બચેલા લાકડા અથવા રાખને ઘરે લાવીને સુરક્ષિત જગ્યાએ મૂક્વોઈ જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને આર્થિક લાભ થાય છે.
આ પણ વાંચો: 3 ઓક્ટોબરે શનિ કરશે પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ, જે વધારશે આ જાતકોનું ટેન્શન!
ADVERTISEMENT
દશેરાના દિવસે સાવરણીનું દાન કરવું જોઈએ. સાવરણીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. દશેરા પર નવી સાવરણી ખરીદીને જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવાથી કારકિર્દીમાં આવતા અવરોધો દૂર થાય છે અને નાણાકીય સમસ્યાઓનું સમાધાન મળે છે. દશેરા પર ઘરમાં ચારમુખી દીવો પ્રગટાવવો જોઈએ. દશેરાના દિવસે ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવાથી પૂર્વજો અને દેવતાઓના આશીર્વાદ મળે છે, જેનાથી માનસિક શાંતિ અને પારિવારમાં સુમેળ વધે છે. આ ઉપાયોથી જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકાય છે.
ADVERTISEMENT
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.