બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ધનતેરસ પર ખરીવું છે સોનું-ચાંદી અને વાસણ, તો પહેલા જાણી લો શુભ મુહુર્ત

ધર્મ / ધનતેરસ પર ખરીવું છે સોનું-ચાંદી અને વાસણ, તો પહેલા જાણી લો શુભ મુહુર્ત

Published By: Vidhata Gothi

Last Updated: 11:49 AM, 17 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dhanteras 2025 Shubh Muhurat: હિંદુ ધર્મમાં ધનતેરસના પર્વનું ખાસ મહત્ત્વ હોય છે. આ દિવસે સોના-ચાંદીના ઘરેણાંની ખરીદી પણ કરવામાં આવે છે. ચાલો જાણીએ ધનતેરસના દિવસે પૂજાથી લઈને ખરીદીના મુહૂર્ત.

Dhanteras 2025 Shubh Muhurat: ધનતેરસને ધન ત્રયોદશીના નામથી પણ ઓળખવામાં આવે છે, આ પર્વ દર વર્ષે આસ મહિનાના કૃષ્ણ પક્ષની તેરસની તિથિ પર ઉજવવામાં આવે છે. જે આવ્સ્રેહ 18 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. કહેવાય છે કે ધનતેરસના દિવસે સમુદ્ર મંથનથી લક્ષ્મી મોટા પ્રગટ થયા હતા. એટલે આ દિવસે લક્ષ્મી માતાની સાથે-સાથે સમુદ્ર અને ધનના દેવતા કુબેર અને આયુર્વેદના જનક ભગવાન ધન્વંતરિની પૂજા પણ કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન ધન્વંતરિની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃધ્ધિ આવે છે. પૂજા સિવાય ધનતેરસના દિવસે સાવરણી, સોનું, વાસણ ખરીદવું પણ શુભ માનવામાં આવે છે. પરંતુ આ બધી વસ્તુઓ શુભ મુહૂર્તમાં ખરીદવી જોઈએ. ચાલ જાણીએ આ વર્ષે ધનતેરસના દિવસે કયા-કયા શુભ મુહૂર્ત છે.

Dhanteras2019.jpg

Dhanteras 2025

આસો મહિનાના કૃષ્ણ પક્ષની તેરસની તિથિ 18 ઓક્ટોબરના રોજ બપોરે 12.18 થી શરૂ થશે અને તિથિનું સમાપન 19 ઓકટોબરે બપોરે 1.51 વાગે થશે.

Dhanteras 2025: સોના-ચાંદીની ખરીદી માટે મુહૂર્ત

જ્યોતિષીઓ પ્રમાણે, ધનતેરસ પર સોના-ચાંદીની ખરીદી માટે ઘણા શુભ મુહૂર્ત છે -

  • પહેલું શુભ મુહૂર્ત - સવારે 8.50 થી 10.33 સુધી
  • બીજું મુહૂર્ત - સવારે 11.43 થી બપોરે 12.28 સુધી
  • ત્રીજું મુહૂર્ત - સાંજે 7.16 થી રાતે 8.20 સુધી
vtv app promotion

ખરીદીના ચોઘડિયા-મુહૂર્ત

  • શુભ કાળ - સવારે 7.49થી 9.15 સુધી
  • લાભ ઉન્નતિ મુહૂર્ત - બપોરે 1.32 થી 2.57 સુધી
  • અમૃત કાળ - બપોરે 2.57 થી 4.23 સુધી

Dhanteras 2025 પૂજાનું મુહુર્ત

દ્રિક પંચાંગ પ્રમાણે, ધનતેરસના દિવસે પૂજાનું મુહુર્ત સાંજે 7.16થી શરૂ થઈને રાતે 8.20 સુધી રહેશે. આ શુભ મુહૂર્તમાં લક્ષ્મી માં, કુબેર દેવતા અને ભગવાન ધન્વંતરિની પૂજા કરો, તેમની ઉપાસનાથી સુખ-સમૃધ્ધિ મળશે.

આ પણ વાંચો: ધનતેરસે ભૂલથી પણ ઉધારમાં ન આપતા આ ચીજવસ્તુઓ, નહીંતર લક્ષ્મીજી ચાલ્યા જશે!

Dhanteras 2025: ધનતેરસ પર શું ખરીદવું અને શું નહીં

ધનતેરસ પર સોનું-ચાંદી, વાસણ, સાવરણી, લક્ષ્મી માતાની મૂર્તિ, શંખ, કુબેર યંત્ર, ગોમતી ચક્ર, કોડી, ધાણા, લક્ષ્મી માતાના પગલાની છાપ ખરીદી શકાય. ધનતેરસના દિવસે તેલ, પ્લાસ્ટિકથી બનેલી વસ્તુઓ, કળા રંગના વસ્ત્ર, જૂતા અને કાચના વાસણ ન ખરીદવા જોઈએ.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Auspicious Muhurat To Buy Gold and Silver Dharma News Dhanteras 2025

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ