બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:30 AM, 25 October 2025
અમદાવાદના જોધપુરગામમાં ઓમકારેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ઓમકારેશ્વર મહાદેવ મંદિર આશરે ૩૫ વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું. હાલનું મોટુ મંદિર પહેલા નાની દેરી સ્વરૂપે હતુ. 2016માં જોધપુરના સ્થાનિકોએ નાની દેરીનું મોટુ સુંદર મંદિર બનાવી તેનો મંદિરનો જીર્ણોધ્ધાર કરી મહાદેવજીને બિરાજમાન કર્યા છે. મહાદેવજીની સાથે માં અંબા અને રાધાકૃષ્ણનું પણ મંદિર બનાવવામાં આવ્યું છે. બે વિધા જમીન પર બનાવવામાં આવેલા ઓમકારેશ્વર મહાદેવના કલાત્મક મંદિરે જોધપુરના સ્થાનિકો તેમજ દૂરદૂરથી ઘણા ભાવિકો દર્શન કરવા આવે છે. અને ભોળાનાથ, રાધાકૃષ્ણ અને મા અંબાના દર્શન કરી ધન્ય થાય છે.
ADVERTISEMENT

ઓમકારેશ્વર મહાદેવ મંદિરની બહારની બાજુએ એક તરફ ગણેશ ગજાનંદ બિરાજમાન છે અને બીજી તરફ હનુમાનદાદા બિરાજમાન છે. મંદિર ટ્રસ્ટ વારે તહેવારે મંદિરમાં અનેક કાર્યક્રમોનુ આયોજન કરે છે. જેમાં ભજન અને સંગીત સંધ્યાનુ ખાસ આયોજન કરવામાં આવે છે. મંદિર પરિસરમાં અનેક દેવી દેવતાના નાના મંદિર બનાવી તેમને બિરાજમાન કરવામાં આવ્યા છે. મંદિરે નિત્ય આવતા ભક્તો શિવલીંગ પર દૂધ અને જળ ચઢવી મહાદેવજીની આરાધના કરે છે. મંદિરમાં શિવલિંગ પર કરવામાં આવેલો રોશનીનો અદ્ભુત નજારો મંદિરનું આકર્ષણ છે.
ADVERTISEMENT

મંદિરના વિશેષ પથ્થરો પરની કોતરણી અને મંદિરના ઘુમ્મટનો નજારો મંત્રમુગ્ધ કરે છે. વિશાળ મંદિરમાં ગૌશાળા બનાવવામાં આવેલી છે. જેમાં ૭૦થી વધુ નાની મોટી ગાયોની સેવા કરવામાં આવે છે. મંદિરમાં દર્શને આવતા ભક્તો ગાયને ઘાસ ખવડાવી, મહાદેવજીના અને અન્ય દેવીદેવતાઓના દર્શન કરી ધન્યતા તો મેળવે છે. મંદિરના પ્રાંગણમાં આવેલા ચબુતરામાં મંદિર તરફથી પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. અને દર્શને આવતા ભક્તો પણ ચણ નાંખી પુન્યનું કામ કરે છે.
ADVERTISEMENT

ઓમકારેશ્વર મહાદેવ મંદિરમા શ્રાવણના સોમવારે દિવસભર ભક્તો દ્વારા દૂધ, જળ, કાળા તલ અને બિલિપત્ર ચડાવવામાં આવે છે. ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં આવેલી અખંડ જ્યોત દર્શન કરવા મોટી સંખ્યામાં ભકતો મંદિરે આવે છે અને કહેવાય છે કે જયારે મંદિરની સ્થાપના કરવામાં આવી ત્યારથી આ અખંડ જ્યોતના ભક્તો દર્શન કરી ધન્ય થાય છે. શિવરાત્રીએ ભગવાનને અનોખો શણગાર કરવામાં આવે છે. ધાર્મિક રીતે વિશેષ મહત્વ ધરાવતા આ મંદિરમાં મહાદેવના દર્શન કરવા દર સોમવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ભક્તોની અતૂટ આસ્થા અને વિશ્વાસના કેન્દ્ર ઓમકારેશ્વર મહાદેવના મંદિરે ભક્તિની સાથે સેવાના પણ ઘણા કાર્યો કરવામાં આવે છે.
ADVERTISEMENT

જોધપુરના સ્થાનિકો ઓમકારેશ્વર મહાદેવના દર્શને નિયમિત આવે છે તો યુવાપેઢી પણ મહાદેવના દર્શને આવી ભારતીય સંસ્કૃતિની ધરોહરને જાળવી રાખે છે..બાળપણથી નિયમિત મંદિરે દર્શન કરવા આવતા ભાવિકો શહેરમાં બીજે સ્થળાંતર થયા બાદ વારે તહેવારે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવા અચૂક આવે જ છે. શ્રાવણ માસ દરમિયાન મંદિરે શિવ મહાપૂજા, રૂદ્રા અભિષેક, લઘુરુદ્ર, રૂદ્રીપાઠ, કમળ પૂજા, રુદ્રી તથા મહારુદ્રનું આયોજન કરવામાં આવે છે. મંદિરમાં આનંદના ગરબા તથા ભજનના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવે છે. જેમાં ભાવિકો જોડાઈને ભોળાની ભક્તિ કરે છે ત્યારે જાણે જીવ અને શિવ એકાકાર થાય છે.
ADVERTISEMENT

શિવાલયમાં રહેલા પવિત્ર શિવલિંગના દર્શન કરતા જ ભક્તો મંત્રમુગ્ધ બની જાય છે. પવિત્ર શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓ શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવે છે. હજારો શ્રદ્ધાળુઓ પવિત્ર શ્રાવણ માસમાં શ્રી ઓમકારેશ્વર મહાદેવના મંદિરે દર્શનાર્થે ઉમટી પડે છે. વર્ષોથી મહાદેવના દર્શને આવતા ભાવિકોની શ્રી ઓમકારેશ્વર મહાદેવ પર અતૂટ શ્રદ્ધા છે અને એટલે જ તે મહાદેવજીના દર્શન કરવાનુ ચૂકતા નથી.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ વાપી-દમણની સરહદે ડુંગર પર બિરાજે મા હિંગળાજ, ગોવાળીયાના સ્વપ્ન સાથે જોડાયેલો છે ઈતિહાસ
મંદિરના પ્રાંગણમાં બાળકોને ભણવામાં આવે છે. મંદિરની આસપાસ રહેતા ગરીબ ઘરના બાળકોને સ્થાનિક મહિલાઓ નિશુલ્ક ભણતરના પાઠ ભણાવે છે. મંદિર તરફથી તમામને મદદ કરવામાં આવે છે. બાળકોનો વિકાસ થાય એ હેતુથી આ મંદિરમાં મહિલાઓ દ્વારા સેવા આપવામાં આવે છે.
મંદિરે દર્શન કરવા આવતા ભાવિકભક્તો મંદિરના વિશાળ પરિસરમાં આવેલા પીપળાના વૃક્ષ નીચે બેસી ભગવાનની આરાધના કરી ભક્તિમાં લીન થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.