બ્રેકિંગ ન્યુઝ
વાસ્તવમાં સોમવારે તાલચેર કોલફીલ્ડ્સમાં જગન્નાથ સિડિંગ્સમાં કોલસા પરિવહન રોકી દેવાથી અને ડિસ્પેચ કાર્યમાં અડચણ આવવાને પગલે કંપનીને આ નુકસાન ઉઠાવવું પડ્યુ.
ADVERTISEMENT
સોમવારે કોલસો ભરીને જતી ગાડી (ટિપ્પર)ની ટક્કરથી એક બકરીનું મોત થઇ ગયુ, જે પછી સ્થાનિક લોકો ભડકી ગયા અને બકરીના મોતથી થયેલા નુકસાનની ભરપાઇ કરવા માટે 60000 રૂપિયાની માંગ કરવા લાગ્યા, નિષિદ્ઘ ખાણ ક્ષેત્રમાં થયેલા બકરીના મોત પછી હાર્ટિંગ્સ ગામમાં કેટલાક લોકોએ વિરોધ કર્યો.
MCL એ સ્ટેટમેન્ટમાં કહ્યુ કે, સાડા 3 કલાક કરતા વધુ સમય સુધી રોકાવાથી કંપનીને 1.4 કરોડ રૂપિયાનું નુકસાન થયુ છે જ્યારે રેલ્વે માધ્યમથી ડિસ્પેચ પર 1.28 કરોડ રૂપિયાનું નુકસાન ઉઠાવવુ પડ્યુ.
ADVERTISEMENT
સરકારને 46 લાખ રૂપિયાનું નુકસાન:
તેમાં કહેવાયુ છે કે, આ કામ રોકવાને કારણે સરકારને પણ 46 લાખ રૂપિયાનું નુકસાન ઉઠાવવુ પડ્યુ. કંપનીએ સ્થાનિક પોલિસને ગેરકાયદેસર અડચણ ઉભી કરવા માટે લોકો સામે ફરિયાદ નોંધાવી છે. સામાન્ય અવર-જવર માટે ખાણ ક્ષેત્રોમાં પ્રવેશ સંપૂર્ણ નિષેધ છે. અહીં, ત્યાં જ લોકો આવી શકે છે, જેને અધિકાર અપાયો હોય, કે જે અહીં કામ કરતા હોય કે તાલીમબદ્ઘ હોય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.