કેન્દ્રીય ગૃહમંત્રાલયે 31મી મે સુધી લૉકડાઉન 4.0 વધારવાને લઈને તૈયારીઓ શરૂ કરી છે. આ સાથે કેન્દ્રએ રાજ્યને ઝોન પ્રમાણે ગાઈડલાઈન તૈયાર કરવાનું જણાવ્યું છે. લૉકડાઉન 4.0માં હવાઈ મુસાફરી, રેલ, મેટ્રો સેવા પર પણ પ્રતિબંધ કાયમ રાખવામાં આવ્યો છે. આ સાથે જ રાજ્ય ગ્રીન, રેડ, ઓરેન્જ, કન્ટેનમેન્ટ અને બફર ઝોન પ્રમાણેના આદેશ જાહેર કરશે. સ્વાસ્થ્ય સચિવે જાહેર કરેલા પત્ર અનુસાર રાજ્ય જિલ્લા/ નગર નિગમને રેડ, ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં વહેંચશે.
લૉકડાઉન 4.0ને લઈને થશે ઝોનની વહેંચણી
રાજ્ય સરકારો આજે નક્કી કરશે ઝોન પ્રમાણેની ગાઈડલાઈન
રેડ, ઓરેન્જ, ગ્રીન, કન્ટેનમેન્ટ અને બફર એમ 5 ઝોનમાં થશે વહેંચણી
રાજ્યોને આપવામાં આવ્યા છે કેટલાક ખાસ પેરામીટર્સ
કેન્દ્રની તરફથી કહેવામાં આવ્યું છે કે ગંભીર કેસમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસની સંખ્યા 200 છે તેને 21 દિવસમાં શૂન્ય કરવાની છે. ગંભીર સ્થિતિમાં એક લાખની જનસંખ્યા પર 15 કેસ છે તેને શૂન્ય કરવાનું લક્ષ્ય છે. આ સિવાય, 7 દિવસ સુધી કેસની બમણી પ્રક્રિયા 14 દિવસ ગંભીર સ્થિતિમાં રહેશે, જેને વધારીને 28 દિવસ કરવી પડશે. ગંભીર સ્થિતિમાં કોરોના ચેપનો મૃત્યુ દર 6 ટકા રહેશે, જેનું લક્ષ્યાંક 1 ટકા છે. પ્રતિ લાખ લોકોના પરીક્ષણનું ગુણોત્તર ગંભીર સ્થિતિમાં 65 છે, જેને 200 કરી શકાય છે. ચકાસાયેલ નમૂનાઓમાંથી, ગંભીર સ્થિતિમાં 6 ટકા કેસનો પુષ્ટિ દર હશે, જે 2 ટકા કરવાનો છે.
કેન્દ્રએ જાહેર કરેલા કન્ટેનમેન્ટ પ્લાન ઓફ એક્શનને આધારે નિર્દેશ જાહેર કરાશે.
કન્ટેનમેન્ટ ઝોનને આ રીતે નક્કી કરાશે
કેસ અને સંપર્કનું મેપિંગ
કેસ અને તેમના સંપર્કને ભૌગોલિક રીતે અલગ કરવું
ક્ષેત્રને નક્કી કરી તેની સીમા પણ નક્કી કરવી
પરિધિ નિયંત્રણની પ્રવર્તનીયતા
કડક પગલાંથી તોડાશે સંક્રમણની ચેન
કેન્દ્રના નિર્દેશોમાં કહેવાયું છે કે પ્રાથમિક રીતે લેવાયેલા કડક પગલાં સંક્રમણની ચેન તોડવા માટે છે. આ સિવાય જિલ્લા પ્રશાસન, સ્થાનીય શહેરી નિકાસને સ્થાનિક સ્તરે નક્કી કરવાના રહેશે. પ્રભાવી કન્ટેનમેન્ટ ઝોન બનાવવા કહેવાયું છે. આ ઝોનમાં એન્ટ્રી અને એક્ઝીટ પોઈન્ટ બનશે. સ્વાસ્થ્ય ઈમરજન્સી અને જરૂરી સામાનની આપૂર્તિ સિવાય કોઈ કામગીરી થશે નહીં. તપાસ વિના બહાર આવનારા લોકો પર બેન હશે. આ વિસ્તારમાં થયેલા મોતની આઈડીએસપીની પાસે નોંધણી કરાવવાની રહેશે.
કન્ટેનમેન્ટ ઝોનમાં આ નિયમોનું પાલન થશે
વિશેષ ટીમની મદદથી ઘરે ઘરે કેસોની તપાસ કરવામાં આવશે.
નમૂના લેવાની માર્ગદર્શિકા મુજબ, તમામ કેસોની તપાસ કરવામાં આવશે.
સંપર્ક ટ્રેસિંગ કરવામાં આવશે.
સ્થાનિક સામાજિક સ્વયંસેવકોના નિરીક્ષણના કારણે સંપર્ક ટ્રેસિંગ અને ખતરાઓ વિશેની માહિતીમાં મદદ લેવામાં આવશે.
તેમની વચ્ચે અને સામાજિક સ્તરે ચર્ચા કરવામાં આવશે.
સામાજિક અંતરનું કડક પાલન કરવામાં આવશે.
હાથ ધોવા, માસ્ક પહેરવા, વાતાવરણ સ્વચ્છ રાખવા વગેરે સૂચના આપવામાં આવશે.
કન્ફર્મ થયેલા તમામ કેસોમાં તબીબી સુવિધા આપવામાં આવશે.
આ હશે બફર ઝોન
દરેક કન્ટેનમેન્ટ ઝોનની બહારના ભાગને બફર ઝોન ગણવામાં આવશે. તેને સ્થાનિક પ્રશાસન અને સ્થાનીય શહેરી સૂચના દ્વારા સ્પષ્ટ કરાશે. બફર ઝોન એ વિસ્તાર હશે જ્યાં આ વાતનું ધ્યાન રાખવાની જરૂર રહેશે કે કન્ટેન્ટમેન્ટ ઝોનથી સંક્રમણ આસપાસના વિસ્તારમાં ફેલાય નહીં.
બફર ઝોનમાં રાખવામાં આવશે આ ખાસ વાતની કાળજી
ILI/SARI ની દેખરેખથી કેસ પર નજર રાખશે.
સરકારી અને ખાનગી આરોગ્ય સુવિધાની પૂરતી સંખ્યા, આરોગ્ય કર્મચારીઓ (આશા / એએનએમ / આંગણવાડી અને ડોકટરો) નો નિર્ણય લેવામાં આવશે.
તમામ આરોગ્ય સુવિધાઓએ કોવિડ -19 ના તબીબી રીતે શંકાસ્પદ દર્દીઓની માહિતી જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમમાં આપવાની રહેશે.
લોકોને સામાજિક જાગૃતિ અને નિવારક પગલાં વિશે માહિતગાર કરવા પડશે.
માસ્ક અને સામાજિક અંતર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ફક્ત 28 દિવસમાં એક પણ કેસ ન આવે ત્યારે કન્ટેન્ટ ઓપરેશનને સફળ માનવામાં આવશે. રોગને રોકવા માટે અસરકારક નિયમો અને કાર્યવાહી રોગના ફેલાવાના આધારે કડક કરી શકાય છે.