ન્યૂઝ અપડેટ્સ
VTV / ચૂંટણી 2019 / CM Mamata Banerjee Bans BJP's Victory Marches In West Bengal
ADVERTISEMENT
નોર્થ 24 પરગના જિલ્લાના નિમતામાં માર્યા ગયેલા ટીએમસી નેતાના ઘરે પહોંચેલી મમતાએ કહ્યું કે, મારી પાસે સૂચના છે કે ભાજપે વિજય સરઘસોના નામે હુગલી, બાંકુરા, પુરૂલિયા અને મિદનાપુલ જિલ્લાઓમાં અવ્યવસ્થા ફેલાવી છે. હવેથી એક પણ સરઘસ નહીં નિકળે.
ADVERTISEMENT
બેનર્જીએ વધુમાં કહ્યું કે હવે એક પણ વિજય સરઘસ ન નિકળવું જોઇએ કારણ કે લોકસભા ચૂંટણીના પરિણામોની જાહેરાતને 10થી વધુ દિવસ થઇ ગયા છે.
તેમણે કહ્યું કે જો કોઇ નેતા રાજ્યમાં દંગા જેવી સ્થિતિ પૈદા કરવાનો પ્રયત્ન કરે તો મેં પોલીસને કાયદાના હિસાબથી કાર્યવાહી કરવા અને સ્થિતિ બગડવાને રોકવા માટે કડક એક્શન લેવાનું કહી દીધું છે.
ADVERTISEMENT
મમતા બેનર્જીએ ગુરૂવારે સીઆઇડી અને બીજી એજન્સીઓના અધિકારીઓની સાથે નિમતાની મુલાકાત લીધી. જ્યાં મંગળવારે બાઇકસવાર 4થી 5 અજાણ્યા હુમલાખોરોએ ટીએમસી નેતા નિર્મલ કુંડુની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.
મુખ્યમંત્રીએ કુંડેના પરિવારજનોને ભરોસો અપાવ્યો કે મામલાને સંપૂર્ણ તપાસ થશે અને ન્યાય મળશે. તેમણે કહ્યું કે આ માત્ર હત્યાની વાત નથી. આપણે ષડયંત્ર કરનારનો શોધવાના છે. એખ પાર્ટી રક્તપાત અને હિંસા શા માટે કરી રહી છે?
ADVERTISEMENT
બેનર્જીએ કહ્યું કે 2014 લોકસભા ચૂંટણીમાં જ્યારે ક્ષેત્રની તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ સંયુક્ત રીતે કેટલીક બેઠકો પર જીત મેળવી તો કોઇપણ પ્રકારની હિંસા કે હત્યા ન થઇ. પરંતુ બંગાળમાં ભાજપને બેઠકોમાં ફાયદો થયા બાદ હિંસા અટકાવનું નામ નથી લેતી.
મહત્વનું છે કે પશ્ચિમ બંગાળની કુલ 42 લોકસભા બેઠકોમાંથી સત્તાધારી ટીએમસીને 22, જ્યારે ભાજપને 18 બેઠકો પરજીત મળવી છે. ભાજપનો આ આંકડો 2014માં તેમના દ્વારા જીતેલી બેઠકોથી 16 વધુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારતને રિટર્ન ગિફ્ટ / ગૌરવની ક્ષણ ! કોરોના મદદની ગિફ્ટ, આ દેશ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરશે