બોલીવુડ સ્ટાર સંજય દત્તને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. અભિનેતાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ હતી જેના પગલે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
બોલીવુડ અભિનેતા સંજય દત્તને મોડી રાતે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદને પગલે મુંબઈની જાણીતી લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે તેને નોન-કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેનો કોરોનાનો રેપિડ ટેસ્ટ પણ નેગેટિવ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.
Actor Sanjay Dutt admitted to Lilavati hospital in Mumbai after he complained of breathlessness. His COVID-19 report is negative but he is still there for some time just for medical observation. He is perfectly fine: Lilavati hospital, Mumbai@SanjayDuttFC@duttsanjaypic.twitter.com/uM1m2Akexj
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) August 8, 2020
ઉલ્લેખનીય છે કે હોસ્પિટલના સૂત્રો તરફથી માહિતી મળી હતી કે સંજય દત્તની હેલ્થ અત્યારે હાલ સારી છે પરંતુ મેડિકલ ઓબ્ઝર્વેશન માટે હજુ તે હોસ્પિટલમાં જ દાખલ રહેશે. અભિનેતાએ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
સંજય દત્તનો કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ થયો હતો જે નેગેટિવ આવ્યો હતો અને ત્યાર બાદ તેનો સ્વૉબ ટેસ્ટ (નાક અને ગળામાંથી) પણ કરવામાં આવ્યો હતો. જો બધુ ઠીક રહ્યું તો ડૉક્ટર અનુસાર તેને કાલે ડિસ્ચાર્જ કરી દેવાશે.
ઉલ્લેખનીય છે કે સંજય દત્ત આ કોરોના અને લૉકડાઉન સમયે પરિવારથી દૂર રહે છે. લૉકડાઉન દરમ્યાન માન્યતા દત્ત જ બંને બાળકો સાથે રહી તેમનું ધ્યાન રાખી રહી છે.