ન્યૂઝ અપડેટ્સ
VTV / ચૂંટણી 2019 / Bjp Releases List Of Two candidate name For Gujarat Rajya Sabha By election
ADVERTISEMENT
જેમાં ભાજપ દ્વારા એક બેઠક માટે વિદેશ મંત્રી એસ. જ્યશંકર અને બીજી બેઠક માટે જુગલ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને બંને ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. મહત્વનું છે કે ભાજપના બંને ઉમેદવારો મંગળવારે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે.
ADVERTISEMENT
BJP releases list of two names for the ensuing by-elections to the council of states (Rajya Sabha) from Gujarat. Dr S Jaishankar and JM Thakor to be the candidates. pic.twitter.com/JQeeiUMqOj
— ANI (@ANI) June 24, 2019
ADVERTISEMENT
જેને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકર સોમવારે ગુજરાત પહોંચ્યા હતા. અમદાવાદમાં ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાની ચૂંટણી માટે એસ.જયશંકર ફોર્મ ભરશે. મહત્વનું છે કે એસ. જયશંકર ભાજપના કાર્યકરી જેપી નડ્ડાની હાજરીમાં આજે જ સત્તાવારરીતે ભાજપમાં જોડાયા છે. ત્યારે આજે જ ભાજપે તેમને રાજ્યસભાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.
External Affairs Minister Shri @DrSJaishankar joined BJP in the presence of BJP National Working President Shri @JPNadda at BJP Parliamentary Office, New Delhi. pic.twitter.com/get2iBx5ld
— BJP Gujarat (@BJP4Gujarat) June 24, 2019
ADVERTISEMENT
ભાજપે એક બેઠક વિદેશ મંત્રી એસ. જય શંકરને આપી છે. ત્યારે કોણ છે એસ. જયશંકર?
ADVERTISEMENT
મહત્વનું છે કે, સુબ્રમણ્યમ જયશંકરનો જન્મ ૯ જાન્યુઆરી 1955માં નવી દિલ્હીમાં થયો હતો. તેઓ ઈતિહાસકાર સંજય સુબ્રમણ્યમના ભાઈ છે. એસ. જયશંકરના બે દીકરા અને એક દીકરી છે. તો હાલ એસ.જયશંકર મોદી સરકાર ભાગ-૨માં વિદેશમંત્રી તરીકે કાર્યભાર સંભાળે છે. તો વર્ષ 2015માં દેશના વિદેશ સચિવ બન્યા બાદ મોદી સરકારની ઘણી બધી વિદેશનીતિમાં તેમની મહત્વની ભૂમિકા રહી ચૂકી છે. જોકે તેમને શપથ લીધાના છ મહીનાની અંદર સંસદના કોઇ પણ સદનનું સભ્ય હોવું ફરજીયાત છે.

ADVERTISEMENT
બીજી બેઠક માટે જુગલ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોણ છે જુગલ ઠાકોર?
તેમનું પુરૂનામ જુગલ મથુરજી ઠાકોર છે, ઉર્ફે જુગલ લોખંડવાલા તરીકે ઓળખાય છે. જુગલના પિતા મથુરજી ઠાકોરએ ઠાકોર સમાજમાં શેઠ તરીકે ઓળખાતા હતા. તેઓ ઠાકોર સમાજમાં ભામાંશા તરીકે ઓળખાય છે. ગત લોકસભામાં જુગલ ઠાકોરે પાટણ લોકસભાની ભાજપની ટિકિટ માંગી હતી. તેઓ અત્યાર સુધી એક પણ ચૂંટણી લડ્યા નથી. પાટણ લોકસભા ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીની પાટણ સભા વખતે નરેન્દ્ર મોદીને હેલિપેડ પર આવકારવાની જવાબદારી જુગલ ઠાકોરને અપાઈ હતી.
ADVERTISEMENT
જણાવી દઇએ કે ચૂંટણીપંચે બિહાર, ઓડિસા અને ગુજરાતની રાજ્યસભાની છ ખાલી બેઠકો માટે 5 જુલાઇએ મતદાનનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની લોકસભામાં ચૂંટણી જીતતા ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો પણ આમાં સામેલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ભારતને રિટર્ન ગિફ્ટ / ગૌરવની ક્ષણ ! કોરોના મદદની ગિફ્ટ, આ દેશ PM મોદીને સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરશે