ગુજરાત રાજ્યસભાની પેટા ચૂંટણી આગામી 5 જુલાઈના રોજ યોજાવાની છે. રાજ્યસભાની પેટાચૂંટણી માટે 25 જૂન ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે ગુજરાત રાજ્યસભાની 2 બેઠકો માટે ભાજપે સત્તાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
જેમાં ભાજપ દ્વારા એક બેઠક માટે વિદેશ મંત્રી એસ. જ્યશંકર અને બીજી બેઠક માટે જુગલ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને બંને ઉમેદવારો ગાંધીનગર પહોંચ્યા હતા. મહત્વનું છે કે ભાજપના બંને ઉમેદવારો મંગળવારે 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે.
BJP releases list of two names for the ensuing by-elections to the council of states (Rajya Sabha) from Gujarat. Dr S Jaishankar and JM Thakor to be the candidates. pic.twitter.com/JQeeiUMqOj
જેને લઈને વિદેશ મંત્રી એસ. જયશંકર સોમવારે ગુજરાત પહોંચ્યા હતા. અમદાવાદમાં ભાજપના નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યસભાની ચૂંટણી માટે એસ.જયશંકર ફોર્મ ભરશે. મહત્વનું છે કે એસ. જયશંકર ભાજપના કાર્યકરી જેપી નડ્ડાની હાજરીમાં આજે જ સત્તાવારરીતે ભાજપમાં જોડાયા છે. ત્યારે આજે જ ભાજપે તેમને રાજ્યસભાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે.
ભાજપે એક બેઠક વિદેશ મંત્રી એસ. જય શંકરને આપી છે. ત્યારે કોણ છે એસ. જયશંકર?
મહત્વનું છે કે, સુબ્રમણ્યમ જયશંકરનો જન્મ ૯ જાન્યુઆરી 1955માં નવી દિલ્હીમાં થયો હતો. તેઓ ઈતિહાસકાર સંજય સુબ્રમણ્યમના ભાઈ છે. એસ. જયશંકરના બે દીકરા અને એક દીકરી છે. તો હાલ એસ.જયશંકર મોદી સરકાર ભાગ-૨માં વિદેશમંત્રી તરીકે કાર્યભાર સંભાળે છે. તો વર્ષ 2015માં દેશના વિદેશ સચિવ બન્યા બાદ મોદી સરકારની ઘણી બધી વિદેશનીતિમાં તેમની મહત્વની ભૂમિકા રહી ચૂકી છે. જોકે તેમને શપથ લીધાના છ મહીનાની અંદર સંસદના કોઇ પણ સદનનું સભ્ય હોવું ફરજીયાત છે.
બીજી બેઠક માટે જુગલ ઠાકોરના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે કોણ છે જુગલ ઠાકોર?
તેમનું પુરૂનામ જુગલ મથુરજી ઠાકોર છે, ઉર્ફે જુગલ લોખંડવાલા તરીકે ઓળખાય છે. જુગલના પિતા મથુરજી ઠાકોરએ ઠાકોર સમાજમાં શેઠ તરીકે ઓળખાતા હતા. તેઓ ઠાકોર સમાજમાં ભામાંશા તરીકે ઓળખાય છે. ગત લોકસભામાં જુગલ ઠાકોરે પાટણ લોકસભાની ભાજપની ટિકિટ માંગી હતી. તેઓ અત્યાર સુધી એક પણ ચૂંટણી લડ્યા નથી. પાટણ લોકસભા ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીની પાટણ સભા વખતે નરેન્દ્ર મોદીને હેલિપેડ પર આવકારવાની જવાબદારી જુગલ ઠાકોરને અપાઈ હતી.
જણાવી દઇએ કે ચૂંટણીપંચે બિહાર, ઓડિસા અને ગુજરાતની રાજ્યસભાની છ ખાલી બેઠકો માટે 5 જુલાઇએ મતદાનનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની લોકસભામાં ચૂંટણી જીતતા ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકો પણ આમાં સામેલ છે.