બાબા વેંગાએ ભારતને લઈને ભવિષ્યવાણી કરી હતી કે વર્ષ 2022માં ભારતમાં ભૂખમરાની સ્થિતિ પેદા થશે. જાણો વિગતવાર
બાબા વેંગાએ ભવિષ્યવાણી કરી હતી કે ભારતમાં ભૂખમરો આવશે
2022માં આવશે ભૂખમરો - બાબા વેંગા
2022માં બાબા વેંગાની 6 માંથી 2 ભવિષ્યવાણી સાચી પડી છે
ભારત માટે બાબા વેંગાની ભવિષ્યવાણી
બાબા વેંગાની ભવિષ્યવાણીઓની હંમેશા ચર્ચા થતી રહે છે અને તેમણે ન માત્ર પોતાના દેશ પણ ભારત સહિત આખી દુનિયાને લઈને ભવિષ્યવાણી કરી છે. ભારતને લઈને બાબા વેંગાની એક ભવિષ્યવાણીએ લોકોની ચિંતા વધારી છે.
ભારતમાં આવશે ભૂખમરો : બાબા વેંગા
એક રિપોર્ટ અનુસાર, બાબા વેંગા એ ભારતને લઈને એક ડરાવનારી ભવિષ્યવાણી કરી હતી અને જણાવ્યું હતું કે વર્ષ 2022માં દુનિયાભરમાં તાપમાનમાં ઘટાડો થશે, જેથી તીડનો પ્રકોપ વધી જશે. આ ઝુંડ ભારત પર હુમલો કરશે, જેથી પાકને ગંભીર નુકસાન થશે અને અકાળની સ્થિતિ પેદા થઈ જશે. ભારતમાં ભીષણ ભૂખમરાની સ્થિતિ આવી શકે છે. જણાવી દઈએ કે વર્ષ 2020માં રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશ,આ તીડનાં હુમલાથી પાકને નુકસાન થયું હતું. જણાવી દઈએ કે બાબા વેંગાએ ઘણી ભવિષ્યવાણી કરી છે, જેમાંથી અત્યાર સુધીમાં 2 સાચી પડી છે.
આ વર્ષમાં 6માંથી 2 ભવિષ્યવાણી સાચી પડી છે
બાબા વેંગાએ વર્ષ 2022 માટે 6 ભવિષ્યવાણી કરી હતી, જેમાંથી 2 સાચી સાબિત થઈ છે. ત્યાર બાદ એવી આશંકા જતાવાઈ રહી હતી કે બાબા વેંગાની 4 અન્ય ભવિષ્યવાણી પણ સાચી સાબિત થઈ શકે છે.