બ્રેકિંગ ન્યુઝ
VTV / Avoid Drinking Tea and smoking After Lunch
Last Updated: 10:04 AM, 14 June 2021
ADVERTISEMENT
જો તમે વજન ઘટાડવાનુ વિચારી રહ્યા છો તો કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને જમીને કેટલાક કામ ન કરવા જોઈએ. તેનાથી ઓવરઈટિંગ તો થાય જ છે, સાથે જ પાચનને લગતા રોગ પણ થાય છે, પેટ ખરાબ રહે છે અને અનેક સમસ્યા પેદા થાય છે. જેથી આવી ખરાબ ટેવોથી દૂર રહેવું જોઈએ.
ચા/કોફી ટાળો
ADVERTISEMENT
ઘણી વાર જમ્યા બાદ આપણને ઘેન જેવુ લાગતુ હોય છે અને તેથી આપણે ચા કે કોફી પીવાનું વિચારતા હોઈએ છે પણ તમારે એ ટાળવું જોઈએ કારણ કે ચા કે કોફીમાં ઉંચા પ્રમાણમાં એસિડ રહેલુ હોય છે જે ખોરાકને પચવામાં અવરોધ ઉભો કરે છે. ઘેન દૂર કરવા તમે પાણી પી શકો.
ફળો ના ખાવા
લોકો વિચારે છે કે જમ્યા પછી ફળો ખાવાથી વજન ઘટે છે પણ તે તદ્દન ખોટું છે. જમ્યા પછી ફળો ખાવાથી પેટમાં હવા ભરાઈ જાય છે. માટે જમ્યા પછી 1-2 કલાક પછી અથવા જમવાના 1 કલાક પહેલા ફળો ખાવા.
ધૂમ્રપાન ટાળો
બપોરનો સમય બધ માટે આરામનો સમય હોય છે જ્યારે લોકો ધૂમ્રપાન કરતા કરતા ગપ્પા મારતા હોય છે પણ શું તમે જાણો છો કે જમ્યા પછી તરત જ ધૂમ્રપાનથી સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે. જમ્યા પછી તરત જ પીવાતી એક સિગારેટ 10 સિગારેટ જેટલુ નુકસાન કરે છે.
તરત જ સૂવું નહીં
ઘણાં લોકોને જમીને આળસ આવવા લાગે છે અને તરત ઊંઘ આવે છે. પણ ભૂલથી પણ જમીને સૂવું નહીં. તે તમારા સ્વાસ્થ્ય અને શરીર માટે નુકસાનકારક છે. તેનાથી પાચન ક્રિયામાં અવરોધ પેદા થાય છે અને પેટની તકલીફો થવા લાગે છે.
ખાઈને કસરત ન કરવી
જમીને તરત જ અથવા એકાદ કલાકમાં પણ ભૂલથી પણ કોઈ શારીરિક શ્રમ કે કસરત ન કરવી. તેનાથી શરીરને ભયંકર નુકસાન થાય છે. હમેશાં જમીને 3-4 કલાક પછી જ કસરત કરવી. જમીને તરત કસરત કરવાથી બેચેની, ગભરામણ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.