બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Astrology tips to Get a Government Jobs

જ્યોતિષ / સરકારી નોકરી મેળવવામાં વારંવાર નિષ્ફળતા મળે છે? તો અપનાવો જ્યોતિષશાસ્ત્રમાં બતાવેલા ઉપાયો

Published By: Vidhata

Last Updated: 03:34 PM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે સારી સરકારી નોકરી મેળવવા માંગતા હોવ તો મહેનતની સાથે સાથે કેટલાક સરળ ઉપાય પણ કરો. જ્યોતિષશાસ્ત્રના આ ઉપાયો તમને ઘણી મદદ કરશે.

આજકાલ બેરોજગારી વધી રહી છે ત્યારે બેરોજગારીના આ યુગમાં દરેક વ્યક્તિને નોકરી જોઈએ છે અને મોટાભાગના લોકોને સરકારી નોકરી જોઈતી હોય છે. ત્યારે લોકો વિચારે છે કે સરકારી નોકરી મળે તો જીવન સેટ થઈ જાય. મતલબ કે મોટાભાગના લોકો સરકારી નોકરી મેળવવા માંગે છે જેથી તેઓ સુખી જીવન જીવી શકે. પરંતુ આજના યુગમાં સરકારી કે ખાનગી કોઈપણ પ્રકારની નોકરી મેળવવી સરળ નથી. સખત મહેનત કરવા છતાં ક્યારેક કોઈ કારણસર સફળતા મળતી નથી. આ માટે જ્યોતિષમાં અનેક ઉપાયો સૂચવવામાં આવ્યા છે. જો તમે સારી સરકારી નોકરી મેળવવા માંગતા હોવ તો મહેનતની સાથે સાથે કેટલાક સરળ ઉપાય પણ કરો. જ્યોતિષના આ ઉપાયો તમને નોકરી મેળવવામાં ઘણી મદદ કરશે.

હનુમાનજીને કરો પ્રસન્ન 

સારી સરકારી નોકરી મેળવવા માટે તમારા ઘરમાં પવનમાં ઉડતા હનુમાનજીની તસવીર લગાવો. આ સાથે મંગળવારે શ્રી હનુમાન ચાલીસાનો પાઠ કરો. કોઈપણ મહિનામાં મંગળવારથી શરૂ કરીને 40 દિવસ સુધી દરરોજ ખુલ્લા પગે બજરંગબલીના મંદિરમાં જાઓ અને તેમને લાલ ગુલાબ ચઢાવો.

ભગવાન ગણેશની પૂજા કરો

સરકારી નોકરી મેળવવાના ઉપાયની વાત કરીએ તો કોઈપણ ચતુર્થીના દિવસે ભગવાન ગણેશની એવી તસવીર ઘરમાં લગાવો, જેમાં તેમની સૂંઢ જમણી તરફ વળેલી હોય. વિઘ્નહર્તા ભગવાન ગણેશની પૂજા કરો. તેમની આગળ લવિંગ અને સોપારી અર્પણ કરો. ઈન્ટરવ્યુ માટે જતી વખતે તે લવિંગ અને સોપારી સાથે લઈ જાવ, તમારા બધા કામ પૂરા થશે.

મહાદેવની પૂજાથી મળશે રોજગાર 

જો તમે ઈચ્છિત કાર્ય કરવા ઈચ્છો છો તો ભગવાન શિવની પૂજા કરો. દર સોમવારે ભગવાન શિવના મંદિરમાં જઈને કાચું દૂધ અને આખા ચોખા ચઢાવો. ભગવાન શિવને તમારા મનની વાત કરો. આમ કરવાથી તમારી નોકરીમાં આવતી બધી સમસ્યાઓ દૂર થઈ જશે.

વધુ વાંચો: હનુમાન જયંતિ પર શનિ બનાવશે દુર્લભ સંયોગ, આ રાશિના લોકો પર સાડા સાતીની પ્રભાવ ઘટશે

આ કેટલાક રામબાણ ઉપાયો અજમાવો

  • જ્યારે તમે નોકરીના ઈન્ટરવ્યુ માટે જાઓ ત્યારે ગાયને લોટ અને ગોળ ખવડાવો.
  • કામ પર જતા પહેલા એક લીંબુમાં ચાર લવિંગ નાખો અને ‘ॐ શ્રી હનુમતે નમઃ’ મંત્રનો 108 વાર જાપ કરો અને લીંબુને સાથે લઈ જાઓ. તમારું કામ ચોક્કસ પૂરું થશે.
  • જોબ ઈન્ટરવ્યુ માટે જતા પહેલા ‘ॐ નમઃ ભગવતી પદ્માવતી રિદ્ધિ-સિદ્ધિ દાયિની’ મંત્રનો 108 વાર જાપ કરો.
  • નોકરીની શોધમાં જતા પહેલા સાત પ્રકારના અનાજ ભેળવીને દરરોજ સવારે પક્ષીઓને ખવડાવો અને મંદિરમાં જઈને ભગવાનના દર્શન કરો.
  • સરકારી નોકરી માટે, સાંજે હનુમાનજીના મંદિરે જાઓ અને "કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તત તુમ પાહી" 108 વાર જાપ કરો. સફળતા નિશ્ચિત છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Horoscope Religion government jobs Astrology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ