ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / ashok gehlot wants to stay as cm as well as the president of congress

સ્પષ્ટતા / ગેહલોતને અધ્યક્ષ બનવું છે પણ મુખ્યમંત્રીની ખુરશી છોડવા તૈયાર નહીં, સોનિયા ગાંધીએ આપી દીધો જવાબ

Published By: Jaydeep Shah

Last Updated: 10:46 AM, 22 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેહલોત અધ્યક્ષ પણ બનવા માંગે છે અને સાથે સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી પણ રહેવા માંગે છે, જ્યારે સોનિયા ગાંધીએ 'વન પર્સન - વન પોસ્ટ' વિશે તેમને સ્પષ્ટ કહી દીધું.

ADVERTISEMENT

  • અશોક ગેહલોતે કરી હતી સોનિયા ગાંધી સાથે મુલાકાત 
  • રાહુલ ગાંધીને અધ્યક્ષ પદની ચૂંટણી લડવા માટે મનાવશે ગેહલોત 
  • અધ્યક્ષની સથે સાથે મુખ્યમંત્રી પણ બની રહેવા માંગે છે ગેહલોત 

અશોક ગેહલોતે કરી હતી સોનિયા ગાંધી સાથે મુલાકાત 

કોંગ્રેસ અધ્યક્ષ પક્ષની ચૂંટણી માટેની સૂચના જાહેર થયાના એક દિવસ પહેલા રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતે દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. સૂત્રો અનુસાર, સોનિયા ગાંધીએ બેઠકમાં અશોક ગેહલોતેને કહ્યું કે પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી સ્વતંત્ર અને નિષ્પક્ષ થશે. હું પોતાની વ્યક્તિગત સ્વીકૃતિ કોઈને નહીં આપું. સાથે જ સોનિયા ગાંધીએ એમ પણ  સ્પષ્ટ કરી દીધું કે 'વન પર્સન - વન પોસ્ટ'નો સિદ્ધાંત ત્યારે સામે આવશે, જ્યારે ઉમેદવારને અંતિમ રૂપ આપવામાં આવશે અને ઉમેદવાર જીતી જશે. અશોક ગેહલોત સાંજે ચાર વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા હતા. લગભગ બે કલાકની મુલાકાત બાદ ગેહલોતે કંઇપણ કહ્યું નથી. 

સોનિયા સાથે મિટિંગ પહેલા ગેહલોતે બે ટૂક કહી હતી કે તેઓ પાર્ટીનો નિર્ણય માનશે, પરંતુ પહેલા રાહુલ ગાંધીને અધ્યક્ષ બનવા માટે માનાવવાની એક છેલ્લી કોશિશ કરશે. ગેહલોતે દિલ્હીમાં સંકેત પણ આપ્યા હતા કે તેઓ અધ્યક્ષ અને મુખ્યમંત્રી બંનેની જવાબદારી સંભાળી શકે છે, જોકે એ સ્પષ્ટ થયું નથી કે અધ્યક્ષ બનવાની સ્થિતિમાં જો તેમને મુખ્યમંત્રી પદથી હટવું પડે, તો તેમની જગ્યાએ કોને જવાબદારો સોંપવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે આવી સ્થિતિમાં ગેહલોત ઇચ્છશે કે તેમની કોઈ નજીકની વ્યક્તિ જ મુખ્યમંત્રી બને. જોકે, સચિન પાયલટનાં નજીકનાં નેતાઓનું કહેવુ છે કે આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ જવાબદારી પાયલટને સોંપવામાં આવવી જોઈએ. 

પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે ચૂંટણીની મોસમમાં પ્રવેશવાના સ્પષ્ટ સંકેત આપ્યા બાદ હવે એવી શક્યતા પ્રબળ બની છે કે 22 વર્ષ પછી દેશની સૌથી જૂની પાર્ટીના વડા ચૂંટણી દ્વારા ચૂંટાશે. થરુરે કોંગ્રેસના મુખ્યાલયમાં પહોંચીને પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી પ્રાધિકરણનાં પ્રમુખ મધુસૂદન મિસ્ત્રી સાથે મુલાકાત કરી અને નામાંકનની પ્રક્રિયા વિશે જાણકારી મેળવી. આમ તો, અમુક અન્ય નેતાઓનાં પણ ચૂંટણીના મેદાન પર ઊતરવાની સંભાવનાઓને નકારી ન શકાય. 

આજે કેરળમાં રાહુલ ગાંધીને મનાવશે અશોક ગેહલોત 
ગેહલોત આજે કેરળ પહોંચી રહ્યા છે, જ્યાં તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે અને અધ્યક્ષ પદ માટે ચૂંટણીમાં લાદવાનો આગ્રહ કરશે તથા ભારત જોડો યાત્રામાં પણ સામેલ થશે. અધ્યક્ષ પદની ઉમેદવારીને લઈને ગેહલોતે કહ્યું હતું કે પાર્ટીએ મને બધુ જ આપ્યું છે. ગત 40-50 વર્ષોથી હું પદ પર જ રહ્યો છું, મારા માટે હવે કોઈ પદ મહત્વપૂર્ણ નથી. મારા માટે માહત્વપૂર્ણ છે કે જે જવાબદારી મળશે કે જે જવાબદારી મારે લેવી જોઈએ, તે હું નિભાવીશ. જો તેઓ કહેશે કે મારે નામાંકન કરવાનું છે તો હું કરીશ. 

અધ્યક્ષની સથે સાથે મુખ્યમંત્રી પણ બની રહેવા માંગે છે ગેહલોત 
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ અધ્યક્ષ બનશે તો તેઓ મુખ્ય પ્રધાન તરીકે પણ કામગીરી ચાલુ જ રાખશે, તો તેમણે કહ્યું, "અમે આ ઠરાવ પસાર કર્યો છે, જ્યાં બે પદ છે, જ્યાં નામાંકિત છે... આ ચૂંટણી દરેક માટે છે." આમાં કોઈ પણ ઊભું રહી શકે છે... પછી તે સાંસદ હોય, ધારાસભ્ય હોય, મંત્રી હોય, મુખ્યમંત્રી હોય. કાલે કોઈ રાજ્યનો મંત્રી કહેશે કે મારે ઊભા રહેવું છે, તો તે રહી શકે. તેઓ મંત્રી પણ રહી શકે છે અને કોંગ્રેસ અધ્યક્ષ પણ બની શકે છે. તેમણે કહ્યું કે, સમય જ કહેશે કે હું (મુખ્યમંત્રી) રહીશ કે નહીં. હું ત્યાં રહેવા માંગીશ જ્યાં મારા થકી પાર્ટીને ફાયદો થાય, હું પાછળ નહીં હટુ. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Ashok Gehlot Sonia Gandhi rahul gandhi અશોક ગેહલોત રાહુલ ગાંધી Ashok Gehlot

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ