બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અમેરિકા આતંકવાદ વિરુદ્ધ હોવાનો ડોળ જ કરતું, પાકિસ્તાનને તમામ સહાય આપતું હતું: CIA અધિકારીનો ઘટસ્ફોટ
Last Updated: 11:58 PM, 24 October 2025
ભૂતપૂર્વ યુએસ સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ) અધિકારી જોન કિરિયાકોઉએ ભૂતપૂર્વ પાકિસ્તાની રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફ વિશે એક મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે. તેમણે દાવો કર્યો કે, પરવેઝ મુશર્રફે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોની ચાવીઓ અમેરિકાને સોંપી હતી. તેમણે કહ્યું કે તે સમયે અમેરિકાએ પાકિસ્તાનને લાખો ડોલર આપ્યા હતા.
ADVERTISEMENT
'પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રો અમેરિકાના નિયંત્રણમાં હતા'
સમાચાર એજન્સી એએનઆઈ સાથેની એક મુલાકાતમાં, ભૂતપૂર્વ સીઆઈએ અધિકારીએ કહ્યું, "જ્યારે હું 2002 માં પાકિસ્તાનમાં પોસ્ટેડ હતો, ત્યારે મને અનૌપચારિક રીતે કહેવામાં આવ્યું હતું કે પેન્ટાગોન પાકિસ્તાની પરમાણુ શસ્ત્રોનું નિયંત્રણ કરે છે. પરવેઝ મુશર્રફે અમેરિકાને નિયંત્રણ સોંપ્યું કારણ કે તેમને પણ ડર હતો કે પરમાણુ શસ્ત્રો આતંકવાદીઓના હાથમાં આવી શકે છે."
ADVERTISEMENT
ભૂતપૂર્વ સીઆઈએ અધિકારીએ 26/11 હુમલાનો ખુલાસો કર્યો
ભૂતપૂર્વ સીઆઈએ અધિકારી જોન કિરિયાકોઉએ ખુલાસો કર્યો કે 2001ના સંસદ હુમલા અને 2008ના મુંબઈ આતંકવાદી હુમલા પછી અમેરિકાને ભારત દ્વારા વળતો હુમલો કરવામાં આવે અપેક્ષા હતી, પરંતુ એવું બન્યું નહીં. તેમણે કહ્યું, "સીઆઈએ ખાતે, અમે ભારતની નીતિને વ્યૂહાત્મક ધીરજ કહી હતી. ભારત સરકારને પાકિસ્તાન પર હુમલો કરીને બદલો લેવાનો સંપૂર્ણ અધિકાર હતો, પરંતુ તેમણે તેમ કર્યું નહીં. વ્હાઇટ હાઉસના લોકો કહી રહ્યા હતા કે ભારત ખરેખર ખૂબ જ પરિપક્વ વિદેશ નીતિનું પ્રદર્શન કરી રહ્યું છે."
ADVERTISEMENT
ભારતે બદલો ન લીધો પરિપક્વ વિદેશ નીતિનું ઉદાહરણ પુરૂ પાડ્યું
કિરિયાકોઉએ દાવો કર્યો, "અમને ભારત દ્વારા બદલો લેવામાં આવશે તેવી અપેક્ષા હતી, પરંતુ ભારતે તેમ ન કર્યું, અને તેથી જ વિશ્વ પરમાણુ હુમલાથી બચી ગયું. ભારત હવે એવા તબક્કે પહોંચી ગયું છે. જ્યાં તે વ્યૂહાત્મક ધીરજને નબળાઈ તરીકે ગણી શકે તેમ નથી, તેથી તેણે બદલો લેવો પડ્યો."
ADVERTISEMENT
આ પણ વાંચો: બર્થ ડે પર પ્રભાસે ફેન્સને એવી શું સરપ્રાઇઝ આપી, કે થઇ ગયા ખુશખુશાલ
'અમેરિકાને સરમુખત્યારો સાથે કામ કરવાનું ગમે છે'
ADVERTISEMENT
"મુશર્રફે અમેરિકાને મુક્તપણે કામ કરવાની મંજૂરી આપી હતી. પાકિસ્તાની સરકાર સાથે અમારા ખૂબ સારા સંબંધો હતા. તે સમયે જનરલ પરવેઝ મુશર્રફ સત્તામાં હતા, અને પ્રમાણિકપણે, અમેરિકા સરમુખત્યારો સાથે કામ કરવાનું પસંદ કરે છે કારણ કે ત્યારે તમારે જાહેર અભિપ્રાય કે મીડિયાની ચિંતા કરવાની જરૂર નહોતી, તેથી અમે મુશર્રફને ખરીદ્યા."
પાકિસ્તાન સાથે અમેરિકાના સંબંધો હંમેશા સારા
ADVERTISEMENT
જોન કિરિયાકોઉએ કહ્યું, "અમે પાકિસ્તાનને લાખો ડોલરની સહાય પૂરી પાડી હતી. અમે અઠવાડિયામાં ઘણી વખત મુશર્રફ સાથે મળ્યા હતા. મુશર્રફ પાસે પણ તેમના પોતાના લોકો હતા. મુશર્રફે આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં અમેરિકા સાથે સહયોગ કરવાનો ડોળ કરતી વખતે સૈન્યનો ટેકો જાળવી રાખ્યો, પરંતુ ભારત વિરુદ્ધ તેમની પ્રવૃત્તિઓ ચાલુ રાખી."
પાકિસ્તાની સેનાને અલ-કાયદાની પરવા નહોતી.
કિરિયાકોઉએ દાવો કર્યો કે, "પરવેઝ મુશર્રફે સેનાને ખુશ રાખવાની હતી, અને સેનાને અલ-કાયદાની પરવા નહોતી. તેમને ભારતની પરવા હતી, તેથી સેના અને કેટલાક ઉગ્રવાદીઓને ખુશ રાખવા માટે, તેમણે ભારત વિરુદ્ધ આતંકવાદ ફેલાવવાની બે-પાંખી નીતિને મંજૂરી આપવી પડી હતી. જ્યારે આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં અમેરિકા સાથે સહયોગ કરવાનો ડોળ કરતા હતા."
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.