ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 10:40 AM, 28 September 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
એક યુવક 6 ફૂટ ઊંડા ખાડામાં સમાધી લઇ રહ્યો હતો
ઉન્નાવ જીલ્લામાં આસીવન ક્ષેત્રમાં ગામ તાજપુરમાં એક કથિત બાબાએ નવરાત્રીમાં અમૂક લોકોનાં કહેવા પર જમીનમાં ખાડો ખોદીને સમાધી લેવાનો પ્રયાસ કર્યો. ઘટનાની સૂચના પોલીસ સુધી પહોંચી અને ખાડામાંથી પોલીસે વ્યક્તિને બહાર કાઢ્યો. પોલીસે આ મામલામાં 4 લોકોને અરેસ્ટ કર્યા અને પૂછપરછ ચાલી રહી છે.
ADVERTISEMENT
પોલીસે આવીને તેને બચાવી લીધો
પોલીસે કહ્યું કે લખનૌથી 45 કિલોમીટર દૂર ઉન્નાવ જીલ્લામાં તાજપુર ગામના ત્રણ પુજારીઓએ પૈસા કમાવાની આશામાં એક યુવકને ભૂમીગત સમાધી લેવા માટે તૈયાર કર્યો. આ સૂચના મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી અને યુવકને બહાર કાઢ્યો. ઘટનાના એક વિડીયોમાં, પોલીસને ગંદકીને દૂર કરતા જોઈ શકાય છે, જેની નીચે વ્યક્તિને દફનાવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
In UP's Unnao, a man was 'duped' into taking Samadhi allegedly by local sadhus. He was rescued on time by the local police from a pit covered with bamboo and mud. An FIR has been registered against the sadhus. pic.twitter.com/8avjNN55Ar
— Piyush Rai (@Benarasiyaa) September 27, 2022
ADVERTISEMENT
ઉત્તરપ્રદેશની ઘટના
સ્થાનિક લોકોનું કહેવું છે કે હિંદુ તહેવાર નવરાત્રી દરમિયાન પૈસા ભેગા કરવાની લાલચમાં આ ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તાજપુર નિવાસી શુભમ ગોસ્વામીએ નવરાત્રી દરમિયાન 6 ફૂટ ઊંડા ખાડામાં સમાધી લઇ લીધી હતી. ગોસ્વામીનાં પિતા વિનીત ગોસ્વામીનાં ખાડો ખોદવામાં સામેલ હોવાની વાત સામે આવી રહી છે.
ADVERTISEMENT
પોલીસે શુભમ ગોસ્વામી અને પૂજારી મુન્નાલાલ અને શીવકેશ દીક્ષિતને અરેસ્ટ કર્યા છે. ગોસ્વામીને સારવાર બાદ અદાલતમાં પેશ કરવામાં આવ્યો, જ્યાંથી તેને જેલ મોકલવામાં આવ્યો છે. હાલમાં પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ