ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બોસે લીધેલા પૈસા ચૂકવવા પડ્યાં, અમદાવાદમાં વ્યાજખોરોએ યુવક પાસેથી 26 લાખ પડાવ્યાં

ક્રાઈમ / બોસે લીધેલા પૈસા ચૂકવવા પડ્યાં, અમદાવાદમાં વ્યાજખોરોએ યુવક પાસેથી 26 લાખ પડાવ્યાં

Published By: Hiralal Parmar
Reported By: Anita Patani

Last Updated: 06:55 PM, 8 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં વધુ એક વાર વ્યાજખોરોનો આતંક સામે આવ્યો છે જેમાં પોતાના બોસને બદલે યુવકને લાખો રુપિયા ચૂકવવાનો વારો આવ્યો હતો.

ADVERTISEMENT

અમદાવાદમાં વ્યાજખોરનો આતંક ફરી એક વખત સામે આવ્યો..જેમાં ખાનગી નોકરી કરનાર યુવકને બોસ એ લીધેલા વ્યાજ ના પૈસા તેને ચૂકવવાનો વારો આવ્યો..વ્યાજખોરો બોસનો સંપર્ક ન થતા કર્મચારીને ટાર્ગેટ કરાયો હતો. વ્યાજખોરોએ કાર અને સોના દાગીના મળી 26 લાખ રૂપિયા પડાવ્યા હતા. બોપલ પોલીસે ચારેય વ્યાજખોરો ગુનો નોધી આરોપી ધરપકડ કરી.

26 લાખ રુપિયા પડાવ્યાં

આરોપી વિશાલ દેસાઈ , વિક્રમ દેસાઈ , આયુષ દેસાઈ અને આશિષ ઉર્ફે બચ્ચન દેસાઈએ વ્યાજખથોરોએ યુવકને માનસિક ત્રાસ આપીને તેની ગાડી અને સોના દાગીના પડાવી લીધા હતા. ખાનગી કંપનીમાં નોકરી કરતા દર્શન પુરોહિતે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે છેલ્લા બે વર્ષ થી વ્યાજખોરો તેને પરેશાન કરી રહ્યા છે. આરોપીઓ પરિવારો જાનથી મારી નાખવાની ધમકી આપીને 10 ટકા લેખે ઊંચું વ્યાજ વસૂલ કરીને રૂપિયા 26 લાખ પડાવ્યા હતા. વ્યાજખોરો ફરિયાદી માતાનું સોનાનું સેટ અને પત્ની મંગલસૂત્ર ગિરવે મુકી ને બળજબરી પૂર્વક લોન લેવડાવી રૂપિયા પર લીધા હતા જેમાં 12 લાખ રૂપિયા રોકડ આપ્યા હતા પરતું હવે વ્યાજખોરોની નજર યુવકના મકાન પર પડતા ભોગવનારે બોપલ પોલીસનો સંપર્ક કર્યો હતો..પોલીસે વ્યાજખોરો વિરુદ્ધ ગુનો નોધી ચારેય વ્યાજખોરોની ધરપકડ કરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું કે બે વર્ષ અગાઉ ભોગ બનાર દર્શન પુરોહિત સિંધુભવન રોડ પર આવેલ ઇન્ટરનેશનલ રિક્રુટમેન્ટ એકેડેમી નોકરી કરતો હતો..આ દરમિયાન વ્યાજ ખોર વિશાલ દેસાઈ તેના બે ભાઈઓને નોર્વે ખાતે મોકલવા માટે આ કંપની ના માલિક ગૌરવ શોર્ય સંપર્ક કર્યો હતો હતો. ગૌરવે આરોપી વિશાલે રૂપિયા 20 લાખ આપ્યા હતા પરંતુ ટાઈમે પૈસા ન ચૂકવતા આરોપીઓ પેનલ્ટી નામે પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી..જેથી ગૌરવ એ પૈસા ન ચૂકવતા કર્મચારી દર્શન ની ગાડી સિક્યુરિટી પેટે આરોપીને ગિરવે આપી હતી અને બે સહી વાળા કોરા ચેક પણ લીધા હતા.

વધુ વાંચો : વહુએ 6 લાખમાં સોપારી આપીને કરોડપતિ સસરાની હત્યા કરાવી, ડુપ્લીકેટ ચાવી બનાવવા નોકરને 1200 આપ્યા

આરોપીનો ગુનાહિત ઈતિહાસ

વ્યાજખોરો ચેક બેંકમાં ભરીને કેશ કરવાની અવાર નવાર ધમકી આપીને દર્શન ડરાવતા હતા. આ કુખ્યાત વ્યાજખોરોએ 10 ટકા વ્યાજ સાથે પૈસા મેળવવા ભોગ બનાર દર્શન ને અપહરણ કરી માર માર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે.. મહત્વનું છે કે પકડાયેલા આરોપીમાં વિશાલ દેસાઈ અને વિક્રમ દેસાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે..જેઓના વિરુદ્ધ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં રાયોટીંગ,ધમકી અને મારામારી ની ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad News Gujarat Breaking News Latest Gujarat News Gujarat Breaking News, Latest Gujarat News,

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ