બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / After the defeat of BJP in Delhi, Uddhav Thackeray made a statement that PM Modi would not like
ADVERTISEMENT
દિલ્લી વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ અભિનંદન આપ્યાં છે. અરવિંદ કેજરીવાલને જીત બદલ અભિનંદન પાઠવ્યાં સાથે જ તેમણે ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો અને કહ્યું કે દેશ જન કી બાતથી ચાલે છે નહીં કે મન કી બાતથી ભાજપે અરવિંદ કેજરીવાલની આતંકીઓ સાથે સરખામણી કરી હતી છતાં ભાજપ ચૂંટણીમાં કંઈ ન કરી શકી.
"दिल्लीच्या विधानसभा निवडणुकीत @ArvindKejriwal जी यांच्या @AamAadmiParty पक्षाला मिळालेल्या यशाबद्दल त्यांचे आणि दिल्लीतील जनतेचे मन:पूर्वक अभिनंदन करतो आणि त्यांच्या भावी विकासमय वाटचालीस शुभेच्छा देतो."
— Office of Uddhav Thackeray (@OfficeofUT) February 11, 2020
ADVERTISEMENT
દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને સતત ત્રીજી વખત દિલ્હીમાં અરવિંદ કેજરીવારનો વિજય થયો છે. ત્યારે આમ આદમી પાર્ટી સતત 60થી વધુ બેઠકો પર આગળ વધતી જણાય રહી છે. ત્યારે દેશભરના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે એ ટ્વીટ કરી અરવિંદ કેજરીવાલે શુભેચ્છા પાઠવી છે.
ADVERTISEMENT
"दिल्लीच्या विधानसभा निवडणुकीत @ArvindKejriwal जी यांच्या @AamAadmiParty पक्षाला मिळालेल्या यशाबद्दल त्यांचे आणि दिल्लीतील जनतेचे मन:पूर्वक अभिनंदन करतो आणि त्यांच्या भावी विकासमय वाटचालीस शुभेच्छा देतो."
— Office of Uddhav Thackeray (@OfficeofUT) February 11, 2020
ADVERTISEMENT
ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉત્સાહ સાથે કાર્યકરો મીઠાઈ ખવડાવીને અને રેલી યોજીને વિજય ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. ત્યારે આમ આદમી પાર્ટીના વિજય સાથે આવનાર દિવસમાં સક્રિય બનાવની વાત મૂકી હતી ત્યારે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે,આવનાર દિવસોમાં સ્થાનિક સ્વરજયની ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી પણ સક્રીય બની રહી છે. સાથે આગમી દિવસોમા પૂર્વ CM સહિત અનેક યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાઈને અમારી વિચારધારાને સમર્થન કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.