બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:49 AM, 18 October 2025
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનની લશ્કરી કાર્યવાહીથી ગુસ્સે છે. પાકિસ્તાની બોમ્બ વિસ્ફોટમાં ક્લબ સ્તરના અનેક ખેલાડીઓના મોતથી અફઘાનિસ્તાન ક્રિકેટ આઘાતમાં છે. તેથી, અફઘાનિસ્તાને પાકિસ્તાન સાથેના તેના ક્રિકેટ સંબંધોનો અંત લાવવાનો નિર્ણય લીધો છે. જે રીતે ભારતમાં આતંકવાદી હુમલા પછી ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય શ્રેણી રમવાનો ઇનકાર કર્યો, તે જ રીતનો આ નિર્ણય કહી શકાય
ADVERTISEMENT
હકીકતમાં, પાકિસ્તાને શુક્રવારે સાંજે અફઘાનિસ્તાન પર બોમ્બમારો કર્યો હતો, જેમાં નાગરિક લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા. પાકિસ્તાની વાયુસેનાએ એક એવા સ્થળ પર પણ બોમ્બમારો કર્યો હતો જ્યાં ક્લબ સ્તરના અફઘાન ક્રિકેટ ખેલાડીઓ ક્રિકેટ મેચ રમીને ઘરે પરત ફરી રહ્યા હતા. સૂત્રો કહે છે કે પાકિસ્તાની કાર્યવાહીમાં ત્રણ ક્રિકેટરો માર્યા ગયા અને ચાર ઘાયલ થયા. જોકે, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતે ફક્ત ત્રણ ખેલાડીઓના મૃત્યુની પુષ્ટિ કરી છે. ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર, મૃતકોમાં સિબઘાતુલ્લાહ, હારૂન અને કબીર આગાનો સમાવેશ થાય છે, જે બધા ક્લબ સ્તરના ક્રિકેટરો હતા. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની હુમલામાં અત્યાર સુધીમાં ત્રણ ખેલાડીઓના મોત થયા છે, અને સાત ઘાયલ થયા છે, જેમની હાલત ગંભીર છે.
આ પણ વાંચોઃ હુમલામાં 3 ક્રિકેટરો સહિત 10નાં મોતથી દેશમાં હડકંપ, ખેલજગતમાં શોકનો માહોલ
ADVERTISEMENT
આ ઘટના બાદ, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આવતા મહિને પાકિસ્તાન સાથે મેચ રમવાનો ઇનકાર કર્યો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે આ દુ:ખદ ઘટના બાદ અને પીડિતો પ્રત્યે આદર દર્શાવવા માટે, અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે નવેમ્બરના અંતમાં પાકિસ્તાન સાથે યોજાનારી આગામી ત્રિકોણીય T20 શ્રેણીમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પક્તિકા પ્રાંતના ઉર્ગુન જિલ્લાના બહાદુર ક્રિકેટરોના મૃત્યુને શહીદી ગણાવી અને ઊંડો દુ:ખ વ્યક્ત કર્યો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.