બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આ સરકારી યોજના છે ફાયદાકારક, 436 રૂપિયામાં મળશે લાખોનું વીમાં કવચ!

તમારા કામનું / આ સરકારી યોજના છે ફાયદાકારક, 436 રૂપિયામાં મળશે લાખોનું વીમાં કવચ!

Published By: Nirav Kumar

Last Updated: 12:09 AM, 3 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કોઈ ગરીબ વ્યક્તિના ઘરમાં કમાનારા સભ્યનું અચાનક મૃત્યુ થાય તો તેમના પરિવાર પર આભ તૂટી પડતું હોય છે. જેથી આ પ્રકારના પરિવારો માટે સરકારે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના શરુ કરી છે.

દેશમાં કરોડોની સંખ્યામાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકો રહે છે. જ્યારે કોઈ આવા પરિવારમાં કમાનારા સભ્યનું અચાનક મૃત્યુ થાય તો આખો પરિવાર થોડા સમય માટે રઝળી પડે છે. આ સ્થિતિમાં આવા લોકોને રાહત આપવા માટે સરકારે વર્ષ 2015માં પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) શરૂ કરી છે.

આ યોજનામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ વીમાનો લાભ મેળવી શકે. આ યોજના હેઠળ કોઈપણ વ્યક્તિ વાર્ષિક માત્ર 436 રૂપિયાનું પ્રીમિયમ ભરીને 2 લાખ રૂપિયા સુધીનું વીમા કવર મેળવી શકે છે. આ રકમ વ્યક્તિના મૃત્યુ બાદ પરિવાર કે નોમિનીને આપવામાં આવે છે. ચાલો જાણીએ કે, આ યોજનામાં કોણ અરજી કરી શકે છે અને કેવી રીતે.

vtv app promotion
  • કઈ ઉંમરના લોકો કરી શકે અરજી?
    પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે ફાયદાકારક છે. જેમાં 18 થી 55 વર્ષની ઉંમરના વ્યક્તિઓ અરજી કરી શકે છે. આ યોજનામાં સામેલ થવા માટે તમારે દર વર્ષે 436 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું હોય છે. આ રકમ તમારા બેંક ખાતામાંથી ઓટોમેટિક ડેબિટ થઈ જાય છે.
  • એક વર્ષનું ટર્મ લાઇફ કવર
    આ યોજનામાં એક વર્ષનું ટર્મ લાઇફ કવર મળે છે જે 1 જૂનથી 31 મે સુધી માન્ય હોય છે. જો કોઈ વ્યક્તિ વીમા સમયગાળા દરમિયાન મૃત્યુ પામે તો તેના નોમિનીને 2 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે. આ રકમ પરિવાર માટે આર્થિક રીતે રાહત સાબિત થઈ શકે છે. વીમાની આ રકમનો ઉપયોગ બાળકોના શિક્ષણ, ઘરના ખર્ચ કે બીજી જરૂરિયાતો માટે થઈ શકે છે.

વધુ વાંચો : Aadhaar Card અપડેટ કરવું હવે થયું સરળ, ઓનલાઈન થઈ જશે આટલી વસ્તું

  • અરજી કેવી રીતે કરવી?
    પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનામાં અરજી કરવી સરળ છે. એના માટે તમારે કોઈ એજન્ટની જરૂર નથી. એના માટે નજીકની બેંક શાખાની મુલાકાત લઈને અરજી કરી શકો છો. તમારે આ યોજનાનું ફોર્મ ભરવા સાથે અમુક ડોક્યુમેન્ટ અટેચ કરવાના રહેશે. જેમાં આધાર કાર્ડ, id કાર્ડ, બેંક એકાઉન્ટ પાસબુક, મોબાઇલ નંબર અને પાસપોર્ટ-સાઇઝ ફોટાની જરૂર પડશે. અરજી કર્યા બાદ બેંક દ્વારા તમારો વીમો એક્ટિવ કરી દેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PMJJBY Term Life Cover Jeevan Jyoti Bima Yojana

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ