બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ''તો જવાબમાં કહ્યું 'મારી મરજી', જુઓ રાહુલ ગાંધી-જીતેન્દ્ર સિંહ વચ્ચેની વાતચીતની ઈનસાઇડ સ્ટોરી

નેશનલ / ''તો જવાબમાં કહ્યું 'મારી મરજી', જુઓ રાહુલ ગાંધી-જીતેન્દ્ર સિંહ વચ્ચેની વાતચીતની ઈનસાઇડ સ્ટોરી

Published By: Pravin Joshi

Last Updated: 09:11 PM, 21 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન આવાસ નજીક કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને લોકસભાના નેતા વિપક્ષ રાહુલ ગાંધી વચ્ચે થયેલી વાતચીતની 'ઈનસાઈડ સ્ટોરી' સામે આવી છે. કેન્દ્રીય મંત્રીએ આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી પોતાની જ માગણીઓમાંથી મુકરી ગયા હતા અને તેમનું વર્તન લોકશાહીની મર્યાદાઓ વિરુદ્ધનું હતું.

કોંગ્રેસ પક્ષ દ્વારા મંગળવારે વડાપ્રધાન આવાસ નજીક અકબર રોડ પાસે વિદ્યાર્થીઓના મુદ્દે આક્રમક વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નેતૃત્વમાં જંગી કાર્યકરો એકઠા થઈને સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આ દરમિયાન સ્થિતિને સંભાળવા અને ધરણાં પૂરું કરાવવા માટે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ અને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન રૂબરૂ વાતચીત કરવા પહોંચ્યા હતા. થોડી મિનિટોની વાતચીત બાદ મંત્રી પરત ફર્યા હતા, જેના પછી હવે જિતેન્દ્ર સિંહે પોતે આ મુલાકાત દરમિયાન શું બન્યું હતું તેની વિગતવાર 'ઈનસાઈડ સ્ટોરી' જાહેર કરી છે.

સરકારની મધ્યસ્થી અને રાહુલ ગાંધીની પ્રથમ માગ

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, "અકબર રોડ પાસે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અચાનક ધરણા પર બેસી ગયા હોવાની જાણ થતાં, સરકાર તરફથી આ નેતાઓની ગરિમાને ધ્યાનમાં રાખીને મને અને ગૃહ સચિવ ગોવિંદ મોહનને તેમની સાથે ચર્ચા કરવા મોકલવામાં આવ્યા હતા. અમે રાહુલ ગાંધીને વિનંતી કરી કે આ સ્થળ ધરણાં માટે યોગ્ય નથી અને તેનાથી સામાન્ય જનતાને ભારે અસુવિધા થઈ રહી છે, તેથી તેઓ પ્રદર્શન પૂરું કરે. તેમના જણાવ્યા મુજબ, રાહુલ ગાંધીએ શરૂઆતમાં એક જ માગ રજૂ કરી હતી કે જો સરકાર સંસદમાં નીટ (NEET) પરીક્ષા અને તેને સંબંધિત આંદોલનના તમામ વિષયો પર ખુલ્લી ચર્ચા કરવા માટે તૈયાર થઈ જાય, તો તેઓ પોતાનું આંદોલન તુરંત સમેટી લેશે.

શરત સ્વીકાર્યા બાદ રાહુલ ગાંધી પોતાની વાતથી મુકરી ગયા

જિતેન્દ્ર સિંહે ઉમેર્યું કે, સરકારના ટોચના નેતૃત્વની મંજૂરી મેળવ્યા બાદ અમે તુરંત રાહુલ ગાંધીને આશ્વાસન આપ્યું કે તેમની માગણી સરકારે સ્વીકારી લીધી છે અને સરકાર સંસદમાં NEET મુદ્દે ચર્ચા કરવા સંપૂર્ણ તૈયાર છે. પરંતુ, જેવી જ આ માહિતી તેમને આપવામાં આવી, રાહુલ ગાંધી પોતાની વાતથી ફરી ગયા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ આટલાથી નહીં માને અને તેમને હવે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની ખાતરી પણ જોઈએ છે. તેમણે કહ્યું કે હવે તેમની બે માગણીઓ છે — સંસદમાં ચર્ચા અને શિક્ષણ મંત્રીનું રાજીનામું. જ્યારે મંત્રીએ તેમને યાદ અપાવ્યું કે અગાઉ તેમણે માત્ર ચર્ચાની જ માગ કરી હતી, ત્યારે રાહુલ ગાંધીએ જવાબ આપ્યો કે હવે તેમની માગણીઓ બદલાઈ ગઈ છે.

'મારી મરજી' — રાહુલ ગાંધીનો જવાબ

જ્યારે કેન્દ્રીય મંત્રી અને ગૃહ સચિવે નમ્રતાપૂર્વક સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેમના જેવા વરિષ્ઠ નેતાને આટલી ઝડપથી પોતાની વાતમાંથી ફરી જવું શોભા આપતું નથી, ત્યારે રાહુલ ગાંધીએ તીખા લહેકામાં જવાબ આપ્યો હતો કે આ મારી મરજી છે. જ્યારે ગૃહ સચિવે કહ્યું કે આ સ્થળ પ્રદર્શન માટે યોગ્ય નથી, ત્યારે પણ તેમણે એ જ જવાબ આપ્યો કે આ તેમની મરજી છે કે તેઓ ક્યાં બેસે.

આ પણ વાંચો : NEET પેપર લીક મુદ્દે PM મોદીનો કડક સંદેશ, 'બાળકોને ઉશ્કેરશો નહીં, સાચો રસ્તો બતાવો'

લોકશાહીની મર્યાદાઓ વિરુદ્ધનું વર્તન: મંત્રીનો પ્રહાર

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે આ ઘટનાક્રમને અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે, લોકસભાના નેતા વિપક્ષ જેવા જવાબદાર પદ પર બેઠેલા નેતા પોતાની જ વાતમાંથી ફરી જાય તે લોકશાહીની તમામ મર્યાદાઓથી વિપરીત છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સરકાર NEET મુદ્દે સંસદમાં ચર્ચા માટે તૈયાર છે, પરંતુ કોંગ્રેસ પક્ષે આજ સુધી આ ગંભીર વિષય પર નિયમ મુજબ કોઈ સત્તાવાર ચર્ચાની નોટિસ આપી નથી. રાહુલ ગાંધીનું આ વર્તન લોકશાહીના સિદ્ધાંતો સાથે બંધબેસતું નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

NEETProtest RahulGandhi JitendraSingh

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ