પાણી-પુરી, ફૂચકા, પાણીના બતાશે, ફુલકી, આ બધા નામો એ સ્વાદિષ્ટ વસ્તુનાં નામ છે, જેનું નામ સાંભળતા જ આપણા મોઢામાં પાણી આવે છે. લોકો તેને ખાવા માટે લાઇન લગાવે છે. લોકોને ભારતમાં પાણી પુરી ખાવાનું પસંદ છે. મહિલાઓ પાણી પુરીની સામે બધું ભૂલી જાય છે.
પાણીપુરી સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક
પેટ સાથે જોડાયેલી સમસ્યાનો રામબાણ ઇલાજ
પરંતુ શું તમે જાણો છો આ સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક છે. પાણીપુરી ખાવાથી ઘણા રોગો જડથી ખતમ કરી દે છે. આજે અમે તમને પાણીપુરી ખાવાનમા એટલા જોરદાર ફાયદા જણાવવા જઇ રહ્યા છીએ જેના માટે તમે કદાચ જ જાણતા હશો. તો ચલો જાણીએ પાણીપુરી ખાવાથી સ્વાસ્થ્યથી જોડાયેલા ફાયદા વિશે.
ક્યારે અને કેટલી ખાવી પાણીપુરી?
પાણીપુરીનું સેવન લંચ અથવા સાંજે સૌથી ફાયદાકારક હોય છે. આ સમયે 5-6 પાણીપુરીનું સેવન પાચનક્રિયાને સક્રિય રાખે છે. આ ઉપરાંત ભોજન કરવાની 10-15 મિનીટ પહેલા પણ એનું સેવન ફાયદાકારક હોય છે. આ ઉપરાંત જો તમે વર્કઆઉટ કરો છો તો એની પહેલા કે એ પછી એનું સેવન જરાય કરશો નહીં.
પાણીપુરીના ફાયદા
મોઢામાં ચાંદી
કેટલીક વખત તીખું અને ગરમ ખાવાથી મોઢામાં મોટી મોટી ચાંદી પડી જાય છે જે બરોબર થવામાં ઘણો સમય લે છે. એવામાં તમે માત્ર પાણીપુરીનું સેવન કરો. તમારા મોઢાની ચાંદી બીજા જ દિવસે ગુમ થઇ જશે.
પેટથી જોડાયેલી સમસ્યા
ખાવાની ખોટી રીતથી આજકાલ લોકોને પેટથી જોડાયેલી ઘણી સમસ્યા થઇ જાય છે. એવામાં તમે પણ પાણીપુરીના પાણીનું સેવન કરો. એમાં રહેલો ફુદીનો મરી જીરૂ લીંબુ વગેરે પેટ ગેસ એસિડિટી કબજિયાત જેવી બિમારીઓ જડથી ખતમ કરી દે છે.
ગુસ્સો
ગરમીની સિઝનમાં મોટાભાગે લોકોને ગુસ્સો આવી જાય છે પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે પાણીપુરીના પાણી પણ આ સમસ્યાને દૂર કરી દે છે. પાણીપુરી ખાવાથી મૂડ ફ્રેશ રહેશે અને તમારો ગુસ્સો પણ દૂર થશે.
વજન ઘટવું
જો તમે તમારી મેદસ્વિતાને લઇને પરેશાન છો તો પાણીપુરી તમારી આ સમસ્યાને દૂર કરી દેશે. જમવાનું જમતી પહેલાની 10-15 મિનીટ પહેલા દરરોજ એનું સેવન કરો. તમારું વજન ઝડપથી ઓછું થવા લાગશે.
જીવ ગભરાવો
લાંબી યાત્રા અથવા તાવ બાદ જી ગભરાવો અથવા ઊલ્ટી જેવી સમસ્યા થાય તો 3-4 પાણીપુરી ખાઇ લો. એનાથી તમને તરત આરામ મળી જશે.