બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:36 PM, 12 July 2026
સાબરકાંઠા જિલ્લાના સુપ્રસિદ્ધ પર્યટન સ્થળ પોળો ફોરેસ્ટમાં રવિવારની (12 જુલાઈ) રજા માણવા આવેલા પ્રવાસીઓ માટે સાંજનો સમય અત્યંત કાળમુખો સાબિત થયો છે. પોળો ફોરેસ્ટમાંથી પસાર થતી હરણાવ નદીમાં નાહવા ઉતરેલા ત્રણ મિત્રોમાંથી બે યુવકોના ઊંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક યુવકનો ચમત્કારિક બચાવ થયો છે. વિકએન્ડની મજા માણવા આવેલા આશાસ્પદ યુવાનોના મોતના સમાચારથી અરવલ્લી જિલ્લાના તેમના વતનમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
ADVERTISEMENT
બનાવની વિગત એવી છે કે, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા ટીંટોઈ ગામના ત્રણ પરમ મિત્રો રવિવારની રજા હોવાથી વિજયનગરના પોળો ફોરેસ્ટમાં ફરવા માટે આવ્યા હતા. અહીં કુદરતી સૌંદર્યની મજા માણ્યા બાદ તેઓ હરણાવ નદીના કિનારે પહોંચ્યા હતા અને નદીમાં નાહવા માટે પાણીમાં ઉતર્યા હતા. નદીના વહેણમાં આગળ વધતી વખતે તેઓને ઊંડા પાણીનો અંદાજ રહ્યો ન હતો, જેના કારણે ત્રણેય યુવકો અચાનક નદીમાં ડૂબવા લાગ્યા હતા. પાણીના પ્રવાહ વચ્ચે જિંદગીની જંગ લડી રહેલા યુવકોમાંથી એક યુવક કોઈ પણ ભોગે નદીની બહાર સુરક્ષિત નીકળવામાં સફળ રહ્યો હતો, જ્યારે બાકીના બંને મિત્રો આંખના પલકારામાં જ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
નદીના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા બંને યુવકોની ઓળખ નીચે મુજબ થઈ છે:
ADVERTISEMENT
(બંને મૃતક યુવાનો રહેવાસી: ગામ ટીંટોઈ, તાલુકો મોડાસા, જિલ્લો અરવલ્લી)
નદીમાંથી બચેલા સાથી યુવકે કિનારે આવીને જોરજોરથી બૂમાબૂમ કરતાં આસપાસના સ્થાનિક લોકો અને બચાવ કામગીરીની ટીમ તાત્કાલિક નદી કિનારે દોડી આવી હતી. ઘટનાની ગંભીરતાને જોઈને તાત્કાલિક ઇડર ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોની ટીમે ઘટનાસ્થળે પહોંચીને નદીના ધસમસતા પાણીમાં ભારે જહેમત સાથે વ્યાપક શોધખોળ આદરી હતી. કલાકોની કડી મહેનત બાદ ફાયર બ્રિગેડની ટીમે યશ અને શાહિલના મૃતદેહોને નદીમાંથી બહાર કાઢ્યા હતા.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં AMCનું નામ નોંધાયું, 1 કલાકમાં ભાડજ ખાતે વાવ્યા 3 લાખ 61 હજાર વૃક્ષ
ADVERTISEMENT
આ હૃદયદ્રાવક અકસ્માતની જાણ થતાં જ વિજયનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ (PI) બી. ડી. રાઠોડ પોતાના કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. પોલીસે બંને યુવકોના મૃતદેહોનો કબજો સંભાળીને કાયદેસરની વહીવટી પ્રક્રિયા હાથ ધરી હતી અને બંને શવોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે વિજયનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. રવિવારની રજામાં મોજમસ્તી કરવા નીકળેલા બે યુવાન દીકરાઓના કાળના મોખે હોમાઈ જવાની ખબર મળતા જ ટીંટોઈ ગામ સહિત સમગ્ર પંથકના લોકો સ્તબ્ધ થઈ ગયા છે અને પરિવારોમાં ભારે આક્રંદ વ્યાપી ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.