બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેનનો મોટો ડ્રોન હુમલો: એક ભારતીય નાગરિકનું મોત, ત્રણ ઘાયલ
Last Updated: 09:15 PM, 17 May 2026
Russia Ukraine War: રશિયાના મોસ્કો ક્ષેત્રમાં ડ્રોન હુમલામાં એક ભારતીય કામદારનું મોત થયુ છે જ્યારે અન્ય ત્રણ ઘાયલ થયા છે. ભારતીય દૂતાવાસે ઘટના પર શોક વ્યક્ત કરતા કહ્યું કે અધિકારીઓએ હુમલાના સ્થળની મુલાકાત લીધી અને હોસ્પિટલમાં દાખલ ઘાયલોને મળ્યા.
ADVERTISEMENT
યુક્રેને રવિવારે મોસ્કો અને તેની આસપાસના વિસ્તારો પર મોટો ડ્રોન હુમલો કર્યો, જેમાં એક ભારતીયનું મોત અને ત્રણ ઘાયલ થયા. રશિયામાં ભારતીય દૂતાવાસે આ વાતની પુષ્ટિ કરી છે. યુક્રેને રવિવારે રાત્રે મોસ્કો પર મહિનાઓમાં સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો. રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે 24 કલાકની અંદર દેશભરમાં 1,000 થી વધુ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડવામાં આવ્યા હતા. મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને જણાવ્યું હતું કે રાજધાની તરફ જતા ઓછામાં ઓછા 81 ડ્રોનને રાતોરાત તોડી પાડવામાં આવ્યા હતા.
આ હુમલામાં અનેક વિસ્તારોમાં ઘરો અને માળખાગત સુવિધાઓને નુકસાન થયું. હવાઈ હુમલાના સાયરન વાગ્યા, વિસ્ફોટો સંભળાયા અને અનેક સ્થળોએ કાટમાળ પડ્યો.
ADVERTISEMENT
કેટલા લોકો મૃત્યુ પામ્યા?
આ હુમલામાં કુલ ચાર લોકો માર્યા ગયા. મોસ્કો નજીકના ખિમકી વિસ્તારમાં એક મહિલાનું ઘર પર કાટમાળ પડતાં મોત થયું. માયતિશી જિલ્લાના પોગોરેલ્કી ગામમાં વધુ બે લોકોના મોત થયા. યુક્રેનની સરહદે આવેલા રશિયાના બેલગોરોદ વિસ્તારમાં વધુ એક મૃત્યુ થયું. ઘણા લોકો ઘાયલ થયા. મોસ્કોમાં એક ઓઇલ રિફાઇનરી નજીક પણ કેટલાક લોકો ઘાયલ થયા, જોકે અધિકારીઓએ જણાવ્યું હતું કે રિફાઇનરીને કોઈ મોટું નુકસાન થયું નથી.
ADVERTISEMENT
યુક્રેને હુમલો કેમ કર્યો?
યુક્રેને કહ્યું કે આ હુમલો થોડા દિવસ પહેલા યુક્રેનની રાજધાની કિવ પર થયેલા મોટા રશિયન હવાઈ હુમલાનો જવાબ હતો. તે હુમલો ચાર વર્ષના યુદ્ધમાં સૌથી મોટામાંનો એક હતો.
ADVERTISEMENT
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો જેમાં ધુમાડો નીકળતો અને અગ્નિશામકો આગ ઓલવતા જોવા મળ્યા. તેમણે કહ્યું કે રશિયા યુદ્ધને લંબાવી રહ્યું છે અને આપણા શહેરો અને લોકો પર હુમલો કરી રહ્યું છે, તેથી આ બદલો લેવાની કાર્યવાહી સંપૂર્ણપણે વાજબી હતી. ઝેલેન્સકીએ એવો પણ દાવો કર્યો હતો કે યુક્રેને રશિયાની અંદર 500 કિલોમીટરથી વધુના લક્ષ્યો પર હુમલો કર્યો હતો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિશ્વ / હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારત માટે રાહતના સમાચાર, પેટ્રોલ-ડીઝલની નહીં રહે કોઈ અછત
રશિયાએ શું કહ્યું?
ADVERTISEMENT
રશિયાએ આ હુમલાઓની નિંદા કરી અને કહ્યું કે યુક્રેન નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝાખારોવાએ તેને "મોટો આતંકવાદી હુમલો" ગણાવ્યો.
જોકે યુદ્ધની શરૂઆતથી રશિયા અને યુક્રેન બંનેએ વારંવાર કહ્યું છે કે તેઓ ઇરાદાપૂર્વક નાગરિકોની હત્યા કરતા નથી, પરંતુ સત્ય એ છે કે રહેણાંક વિસ્તારો અને જાહેર જરૂરિયાતના સ્થળો પર બંને પક્ષો તરફથી વારંવાર હુમલા થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.