બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 02:31 PM, 9 July 2026
1/7
વર્ષ 2026માં શ્રાવણ માસનો પ્રારંભ ગુરુવાર, 30 જુલાઈથી થશે અને તેનો સમાપન શુક્રવાર, 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે થશે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની વિશેષ આરાધના કરવામાં આવશે, પરંતુ આ વર્ષે જ્યોતિષ શાસ્ત્ર મુજબ શ્રાવણ મહિનો અનેક કારણોસર વિશેષ મહત્વ ધરાવે છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર આ વર્ષે એક એવો દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે, જે લગભગ 53 વર્ષ બાદ ફરી જોવા મળી રહ્યો છે. આ સંયોગને કારણે કેટલીક રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થઈ શકે છે.
2/7
જ્યોતિષીઓના જણાવ્યા મુજબ શ્રાવણ મહિનામાં ગુરુ, શુક્ર અને ચંદ્રની યુતિથી શુભ ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન શનિ વક્રી થશે અને ગુરુ અસ્ત થશે. મુખ્ય ગ્રહોની આ વિશેષ સ્થિતિ 53 વર્ષ બાદ બની રહી હોવાથી તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવા સંયોગને જીવનમાં મોટા પરિવર્તન, પ્રગતિ અને શુભ ફળ આપનાર માનવામાં આવે છે.
3/7
આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત આયુષ્ય યોગમાં થઈ રહી છે. આયુષ્ય યોગને દીર્ઘાયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને દરેક કાર્યમાં સફળતા માટે શુભ માનવામાં આવે છે. ઉપરાંત 17 ઓગસ્ટે શ્રાવણનો ત્રીજો સોમવાર અને નાગ પંચમીનો પવિત્ર તહેવાર એક જ દિવસે આવી રહ્યો છે. સોમવાર અને નાગ પંચમીનો આ દુર્લભ સંયોગ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન શિવ અને નાગદેવતાની પૂજા કરવાથી વિશેષ લાભ મળવાની માન્યતા છે.
4/7
મેષ રાશિના જાતકો માટે આ શ્રાવણ મહિનો જીવનમાં મહત્વપૂર્ણ વળાંક લાવી શકે છે. ભગવાન શિવની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ આવશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. વેપારીઓ માટે નવા નફાના માર્ગ ખુલશે અને આર્થિક લાભની પ્રબળ સંભાવના રહેશે. મળનારા નાણાકીય લાભથી જૂના દેવા ચૂકવવામાં પણ મદદ મળશે
5/7
6/7
સિંહ રાશિના લોકો પર આ વર્ષે ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને લાંબા સમયથી ચાલી રહેલો માનસિક તણાવ દૂર થશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનોને સારા સમાચાર મળી શકે છે. કોઈ મોટો અને લાભદાયી વ્યવસાયિક સોદો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને બચતમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.
7/7
વૃશ્ચિક રાશિના જાતકો માટે શ્રાવણ મહિનો દરેક ક્ષેત્રમાં સફળતા આપનાર બની શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને કાર્યનિષ્ઠાની પ્રશંસા થશે. ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. વિદેશી વેપાર સાથે જોડાયેલા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે. મિલકત અથવા નવું વાહન ખરીદવાનો યોગ બની રહ્યો છે. ઉપરાંત લાંબા સમયથી અટવાયેલા અથવા અટકેલા નાણાં પણ પાછા મળવાની શક્યતા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શિવની આરાધના અને શ્રાવણ સોમવારના વ્રત આ શુભ ફળોમાં વધુ વધારો કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ