બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 53 વર્ષ બાદ બન્યો દુર્લભ મહાસંયોગ, ભગવાન શિવની કૃપાથી આ 4 રાશિના લોકો માટે સુવર્ણ સમય

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / 53 વર્ષ બાદ બન્યો દુર્લભ મહાસંયોગ, ભગવાન શિવની કૃપાથી આ 4 રાશિના લોકો માટે સુવર્ણ સમય

Last Updated: 02:31 PM, 9 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ભગવાન શિવનો સૌથી પ્રિય મહિનો ગણાતો શ્રાવણ આ વર્ષે માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહીં પરંતુ જ્યોતિષીય દૃષ્ટિએ પણ ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. 53 વર્ષ બાદ બની રહેલા દુર્લભ ગ્રહ સંયોગને કારણે કેટલીક રાશિઓના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાના નવા દ્વાર ખુલવાના સંકેત મળી રહ્યા છે

1/7

photoStories-logo

1. શ્રાવણ 2026 રાશિફળ

વર્ષ 2026માં શ્રાવણ માસનો પ્રારંભ ગુરુવાર, 30 જુલાઈથી થશે અને તેનો સમાપન શુક્રવાર, 28 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે થશે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની વિશેષ આરાધના કરવામાં આવશે, પરંતુ આ વર્ષે જ્યોતિષ શાસ્ત્ર મુજબ શ્રાવણ મહિનો અનેક કારણોસર વિશેષ મહત્વ ધરાવે છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર આ વર્ષે એક એવો દુર્લભ મહાસંયોગ બની રહ્યો છે, જે લગભગ 53 વર્ષ બાદ ફરી જોવા મળી રહ્યો છે. આ સંયોગને કારણે કેટલીક રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ચંદ્રની યુતિથી શુભ ત્રિગ્રહી યોગનું નિર્માણ

જ્યોતિષીઓના જણાવ્યા મુજબ શ્રાવણ મહિનામાં ગુરુ, શુક્ર અને ચંદ્રની યુતિથી શુભ ત્રિગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત આ સમયગાળા દરમિયાન શનિ વક્રી થશે અને ગુરુ અસ્ત થશે. મુખ્ય ગ્રહોની આ વિશેષ સ્થિતિ 53 વર્ષ બાદ બની રહી હોવાથી તેને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જ્યોતિષ શાસ્ત્રમાં આવા સંયોગને જીવનમાં મોટા પરિવર્તન, પ્રગતિ અને શુભ ફળ આપનાર માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. દરેક કાર્યમાં સફળતા માટે શુભ માનવામાં આવે

આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત આયુષ્ય યોગમાં થઈ રહી છે. આયુષ્ય યોગને દીર્ઘાયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને દરેક કાર્યમાં સફળતા માટે શુભ માનવામાં આવે છે. ઉપરાંત 17 ઓગસ્ટે શ્રાવણનો ત્રીજો સોમવાર અને નાગ પંચમીનો પવિત્ર તહેવાર એક જ દિવસે આવી રહ્યો છે. સોમવાર અને નાગ પંચમીનો આ દુર્લભ સંયોગ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કાલસર્પ દોષથી મુક્તિ મેળવવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. ભગવાન શિવ અને નાગદેવતાની પૂજા કરવાથી વિશેષ લાભ મળવાની માન્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ શ્રાવણ મહિનો જીવનમાં મહત્વપૂર્ણ વળાંક લાવી શકે છે. ભગવાન શિવની કૃપાથી લાંબા સમયથી અટકેલા કામોમાં ગતિ આવશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા નવી જવાબદારીઓ મળી શકે છે. વેપારીઓ માટે નવા નફાના માર્ગ ખુલશે અને આર્થિક લાભની પ્રબળ સંભાવના રહેશે. મળનારા નાણાકીય લાભથી જૂના દેવા ચૂકવવામાં પણ મદદ મળશે

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે શ્રાવણ મહિનો ભાગ્યોદયનો સમય બની શકે છે. સમાજ અને કાર્યસ્થળ પર માન-સન્માનમાં વધારો થશે. જો તમે કોઈ નવો વ્યવસાય અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ રહેશે. અચાનક ધનલાભ થઈ શકે છે અને જૂના રોકાણોમાંથી સારો નફો મળવાની પણ શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. સિંહ રાશિ

સિંહ રાશિના લોકો પર આ વર્ષે ભગવાન શિવની વિશેષ કૃપા રહેશે. આત્મવિશ્વાસમાં વધારો થશે અને લાંબા સમયથી ચાલી રહેલો માનસિક તણાવ દૂર થશે. સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાનોને સારા સમાચાર મળી શકે છે. કોઈ મોટો અને લાભદાયી વ્યવસાયિક સોદો થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને બચતમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે શ્રાવણ મહિનો દરેક ક્ષેત્રમાં સફળતા આપનાર બની શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને કાર્યનિષ્ઠાની પ્રશંસા થશે. ઉપરી અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. વિદેશી વેપાર સાથે જોડાયેલા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે. મિલકત અથવા નવું વાહન ખરીદવાનો યોગ બની રહ્યો છે. ઉપરાંત લાંબા સમયથી અટવાયેલા અથવા અટકેલા નાણાં પણ પાછા મળવાની શક્યતા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભગવાન શિવની આરાધના અને શ્રાવણ સોમવારના વ્રત આ શુભ ફળોમાં વધુ વધારો કરી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Lord Shiva, Shravan 2026
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ