બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / કોને 'સીતા'નો રોલ આપ્યો? 'રામાયણ’ ફિલ્મમાં સાઈ પલ્લવીના કાસ્ટિંગ પર ભડક્યા એક્ટર
4 ફોટો ગેલેરી
Last Updated: 04:59 PM, 18 July 2026
1/4
નિતેશ તિવારીની મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ના ટ્રેલર રિલીઝ થાય તે પહેલાં જ નવો વિવાદ ઉભો થયો છે. વેટરન એક્ટર અન્નુ કપૂરે ફિલ્મમાં સાઈ પલ્લવીને માતા સીતાનું પાત્ર સોંપવા પર સવાલ ઉઠાવ્યા છે. તેમને કહ્યું કે ટેક્નોલોજીના ક્ષેત્રે ફિલ્મ ભલે નવી ઊંચાઈઓ સર કરે, પરંતુ માતા સીતા જેવા પવિત્ર અને પૂજનીય પાત્ર માટે કલાકારની પસંદગી ખુબ જવાબદારીપૂર્ણ હોવી જોઈએ.
2/4
અન્નુ કપૂરે વધુમાં જણાવ્યું કે, “શું બનાવશે જે બનાવવાના છે તે રામાનંદ સાગરની ‘રામાયણ’ને ટેક્નિકલ રીતે આગળ તો નીકળી જશે, પરંતુ સીતાનો રોલ કોને આપ્યો છે તે વિચારવું જરૂરી છે. સીતા માતા છે. તેમના મતે સીતા માત્ર ફિલ્મી પાત્ર નથી પરંતુ કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આવા પાત્રો માટે એક્ટર પસંદ કરતી વખતે વિશેષ સંવેદનશીલતા અને જવાબદારી દાખવવી જોઈએ".
3/4
અન્નુ કપૂરે સ્પષ્ટ કહ્યું કે, માત્ર વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ટેક્નોલોજીથી જ ફિલ્મ મહાન નથી બનતી, પાત્રોની વિશ્વસનીયતા પણ એટલી જ મહત્વની હોય છે. ડાયરેક્ટર નિતેશ તિવારી વિશે પૂછવામાં આવતાં તેમને આશ્ચર્યજનક જવાબ આપ્યો કે, “તમે જેનું નામ લઈ રહ્યા છો તેને હું ઓળખતો પણ નથી. કોણ છે? શું કરે છે? મને તો કંઈ ખબર જ નથી.”
4/4
લગભગ 4000કરોડના બજેટવાળી આ ફિલ્મનો ટ્રેલર 24 જુલાઈ 2026ના રોજ વિશ્વભરમાં રિલીઝ થશે. તે પહેલાં 18 જુલાઈએ નવી દિલ્હીના ભારત મંડપમમાં ભવ્ય લોન્ચ ઇવેન્ટ યોજાશે. ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ, સાઈ પલ્લવી માતા સીતા, યશ રાવણ, સની દેઓલ હનુમાન અને રવિ દુબે લક્ષ્મણના રોલમાં છે. ફિલ્મનો પહેલો ભાગ ઓક્ટોબર 2026માં અને બીજો ભાગ 2027માં રિલીઝ થશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ