બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:03 AM, 18 July 2026
છેલ્લા કેટલાક દિવસોથી રોહિત શર્મા વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે કે નહીં તે અંગે ચર્ચાઓ જોરશોરથી ચાલી રહી છે. કેટલીક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ રોહિત ભારતીય ટીમની ભવિષ્યની યોજનાઓનો ભાગ નહીં રહે. આ અહેવાલો સામે આવતા લોર્ડ્સમાં રમાનારી મેચને તેમના છેલ્લી વનડે તરીકે પણ જોવામાં આવી રહી હતી. જોકે હવે BCCIએ આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે અને સિલેક્શન કમિટીને સંવેદનશીલ માહિતી જાહેર ન કરવાની સૂચના આપી છે.
ADVERTISEMENT
BCCI સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું છે કે રોહિત શર્મા લોર્ડ્સમાં પોતાની છેલ્લી વનડે મેચ રમવા જઈ રહ્યા છે તેવા દાવાઓમાં કોઈ સત્ય નથી. બોર્ડે આવા અહેવાલોને અધિકૃત રીતે ફગાવી દીધા છે. BCCIનું માનવું છે કે ખેલાડીઓના ભવિષ્યને લગતી ચર્ચાઓ જાહેર થવી યોગ્ય નથી.
ADVERTISEMENT
એક અહેવાલ મુજબ રોહિત શર્મા અને સિલેક્ટર્સ વચ્ચે થયેલી ખાનગી ચર્ચાઓ મીડિયા સુધી પહોંચતાં BCCI નારાજ થયું છે. બોર્ડે અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આવી ગોપનીય ચર્ચાઓ બહાર ન આવવી જોઈએ. ખેલાડીઓના ભવિષ્યને લગતા નિર્ણયો સત્તાવાર જાહેરાત પહેલાં જાહેર કરવાનું ટાળવું જરૂરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અહેવાલો અનુસાર રોહિત શર્મા હાલમાં નિવૃત્તિ લેવાના મૂડમાં નથી. તેમણે BCCIના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા દરમિયાન 2027 વનડે વર્લ્ડ કપ રમવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. રોહિત હજુ ભારતીય ટીમ માટે યોગદાન આપવા માંગે છે અને લાંબા ગાળાની યોજનાઓનો ભાગ બનવા ઇચ્છે છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રોહિત શર્મા સંન્યાસ નહીં લે, BCCIના નિવેદનથી ક્રિકેટ જગતમાં હડકંપ
ADVERTISEMENT
કેટલાક સૂત્રોના જણાવ્યા મુજબ રોહિત શર્મા નિવૃત્તિ વિશે વિચારતા નથી, જ્યારે અન્ય સૂત્રોનો દાવો છે કે સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટના વલણથી તેઓ નિરાશ છે. જો કે આ અંગે હજુ સુધી રોહિત તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તેથી તેમના ભવિષ્ય અંગેની તમામ અટકળો હાલમાં માત્ર ચર્ચા સુધી જ સીમિત છે.
રોહિત શર્માનું 2026માં વનડે ક્રિકેટમાં પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી. તેમણે 8 ઇનિંગ્સમાં 241 રન બનાવ્યા છે અને તેમનો સરેરાશ 30.12 રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તેઓ માત્ર એક અડધી સદી ફટકારી શક્યા છે. ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં પણ તેમણે પ્રથમ બે મેચમાં અનુક્રમે 11 અને 26 રન બનાવ્યા હતા.
અન્ય એક અહેવાલ મુજબ સિલેક્ટર્સે રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ બંને સાથે ભવિષ્યની યોજનાઓ અંગે ચર્ચા કરી છે. સિલેક્શન કમિટી મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં યશસ્વીને સતત તક આપવાના પક્ષમાં હોવાનું કહેવાય છે. તેમનું માનવું છે કે યુવા બેટ્સમેને મળેલી મર્યાદિત તકમાં સારું પ્રદર્શન કર્યું છે અને હવે તેને લાંબી તક મળવી જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.