બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:47 AM, 18 July 2026
છેલ્લા કેટલાક દિવસોથી એવી ચર્ચા ચાલી રહી હતી કે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે બાદ રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે. આ દરમિયાન BCCI સચિવ દેવજીત સૈકિયાએ તમામ અટકળોને ફગાવી દીધી છે. તેમના જણાવ્યા મુજબ રોહિત હજુ પણ ટીમ ઈન્ડિયાની યોજનાઓનો ભાગ છે. આ નિવેદન બાદ રોહિતના ભવિષ્યને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT
રોહિત શર્માના સંન્યાસને લઈને ચાલી રહેલી અટકળો પર BCCI સચિવ દેવજીત સૈકિયાએ સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે રોહિત ભારતીય વનડે ટીમના નિયમિત સભ્ય છે અને ટીમની યોજનાઓમાં સામેલ છે. લોર્ડ્સમાં રમાનારી ત્રીજી વનડે તેમની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હશે તેવી વાતોમાં કોઈ સત્ય નથી.
ADVERTISEMENT
મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટે રોહિતને આગામી વનડે વર્લ્ડ કપ માટે વિચારવામાં નહીં આવે તેવી જાણ કરી છે. જોકે BCCI તરફથી મળેલા તાજા નિવેદન બાદ આ દાવાઓ પર સવાલો ઊભા થયા છે. રિપોર્ટ્સ મુજબ રોહિત હજુ પણ 2027ના વનડે વર્લ્ડ કપમાં રમવા ઇચ્છે છે.
ADVERTISEMENT

સિલેક્ટર્સ સાથે ચર્ચા
ADVERTISEMENT
કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે રોહિત શર્મા, પસંદગીકારો અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે તેમના ભવિષ્ય અંગે ચર્ચા થઈ હતી. જોકે આ ચર્ચાનો કોઈ સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો નથી. BCCIએ પણ આ મામલે કોઈ નિર્ણય લેવાયો હોવાનો ઇનકાર કર્યો છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ રોહિત શર્માના સમર્થનમાં ઉતર્યા અશ્વિન, BCCI પર ઉઠાવ્યા સવાલ
ADVERTISEMENT
સૂત્રોના હવાલાથી એવી માહિતી સામે આવી છે કે રોહિતના ભવિષ્યને લઈને બહાર આવેલી વિગતોને કારણે BCCI નારાજ છે. બોર્ડે પસંદગીકારોને મીડિયા સામે આ મુદ્દે કોઈ ટિપ્પણી ન કરવા સૂચના આપી હોવાનું પણ કહેવાય છે. આ કારણે સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
19 જુલાઈએ લોર્ડ્સમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી વનડે રમાશે. મેચ પહેલાં જ રોહિતના ભવિષ્યને લઈને ચર્ચાઓ ગરમાઈ ગઈ છે. જોકે BCCIના નિવેદન બાદ એટલું સ્પષ્ટ થઈ ગયું છે કે હાલ તો રોહિતના સંન્યાસનો કોઈ સત્તાવાર નિર્ણય લેવામાં આવ્યો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.