બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:10 AM, 18 July 2026
'ઓપરેશન સિંદૂર' બાદ પાકિસ્તાની સેનાએ પહેલી વાર LoC પર ભારે ગોળીબાર કર્યો, જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના તરકુંડી સેક્ટરમાં શુક્રવારે રાત્રે લગભગ 11 વાગ્યે સરહદ પારથી ગોળીબાર થયો હતો. ગોળીબાર શરૂ થતાં જ ભારતીય સેનાના જવાનોએ વળતો જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાની કાર્યવાહીને ઉશ્કેરીજનક ગણાવી હતી. જોકે, જ્યારે ભારે ગોળીબાર શરૂ થયો, ત્યારે ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો. ત્યારબાદ, પાકિસ્તાની સેનાએ મોડી રાત સુધી છૂટોછવાયો ગોળીબાર ચાલુ રાખ્યો અને ભારતે પણ સામે ગોળીબાર કર્યો.
ADVERTISEMENT
POK ના હાલતોથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન
ભારતીય લશ્કરી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હાલમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં તણાવ વધી રહ્યો છે અને લોકો શાહબાઝ શરીફ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. જ્યારે સમગ્ર વિશ્વ PoKની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન આ મુદ્દા પરથી વૈશ્વિક ધ્યાન ભટકાવવા માટે ભારતીય સરહદ પર ગોળીબાર જેવી નાપાક હરકતો કરી રહ્યું છે.
ADVERTISEMENT
ભારતીય સેના સરહદ પરની સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહી છે, કારણ કે અગાઉ પણ આતંકવાદીઓએ સરહદ પારથી થતા ગોળીબારની આડમાં ભારતમાં ઘૂસણખોરી કરી દેશની અંદર મોટા આતંકવાદી હુમલા કર્યા છે. આ આશંકાને ધ્યાનમાં રાખીને LoC પર પેટ્રોલિંગ અને સતર્કતા વધારી દેવામાં આવી છે.
આ વિસ્તારમાં હાઇ એલર્ટ સર્ચ ઓપરેશન શરુ
ADVERTISEMENT
શનિવારે સવારે સેનાના જવાનોએ તારકુંડી અને તેની આસપાસના વિસ્તારોની ઘેરાબંધી કરી હતી. અંધારાની આડમાં કે ગોળીબાર દરમિયાન ભારતમાં કોઈ ઘૂસણખોરી થઈ નથી ને તેની ખાતરી કરવા માટે તેમણે દરેક ખૂણે-ખૂણે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. રાજૌરી વિસ્તાર અને LoC ને આસપાસના વિસ્તારોમાં સૈનિકોની મોટી ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોડની મદદથી તપાસ કરવામાં આવી હતી, જોકે અત્યાર સુધી કંઈપણ શંકાસ્પદ મળી આવ્યું નથી. ગૃહ મંત્રાલય અને સેનાના ઉચ્ચ અધિકારીઓએ LoC પર પેટ્રોલિંગ વધારવાના આદેશો આપ્યા છે.
આ પણ વાંચોઃ સંસદમાં રજૂ કરાશે 5 નવા બિલ, મોન્સૂન સત્ર પહેલા સરકારની મોટા પાયે તૈયારી
ADVERTISEMENT
LoC ની પાસેના ગેરકાયદેસર મસ્જિદ અને મદ્રસા હટાવી દેવામાં આવ્યા
તાજેતરમાં, ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની આસપાસ આવેલા જેસલમેરના વિસ્તારોમાં 'ઓપરેશન ક્લીન' હાથ ધરવામાં આવ્યું હતું. આ પહેલ હેઠળ, સરકારી જમીન પર બાંધવામાં આવેલી ગેરકાયદેસર મસ્જિદો અને મદ્રસાઓને દૂર કરવામાં આવી હતી. મહેસૂલ વિભાગ, પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓની હાજરીમાં જેસીબી મશીનોનો ઉપયોગ કરીને આ કાર્યવાહી જેસલમેર જિલ્લાના નાચના, તનોટ અને શાહગઢ વિસ્તારોમાં આવેલા મીરપુર, હિંદોલોં કી ઢાણી, અહમદપુરા અને ધનાના જેવા ગામોમાં કરવામાં આવી હતી. જે ગામો અને વસાહતોમાં 'ઓપરેશન ક્લીન' અમલમાં મૂકવામાં આવ્યું હતું, તે આંતરરાષ્ટ્રીય સરહદથી લગભગ 50 કિલોમીટરના અંતરની અંદર આવેલા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.