બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:18 AM, 18 July 2026
ઉત્તર પ્રદેશના મેરઠમાં શરૂઆતમાં આ ઘટના સામાન્ય રીતે સાપ કરડવાથી થયેલા મૃત્યુ જેવી લાગી રહી હતી. પરંતુ મૃતકના પરિવારજનોની શંકા અને ફોરેન્સિક તપાસ બાદ સમગ્ર મામલે નવો વળાંક લીધો. પોલીસના જણાવ્યા મુજબ પત્ની દામિનીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિ અતુલ પંવારની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. આ કેસમાં 20 લાખ રૂપિયાના વીમા અને પ્રેમ સંબંધની વાતો પણ સામે આવી છે.
ADVERTISEMENT
મેરઠ જિલ્લાના હસ્તિનાપુર વિસ્તારમાં રહેતા અતુલ પંવાર એક પ્લે સ્કૂલ ચલાવતા હતા. એક સવારે તેઓ પોતાના ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પત્ની દામિનીએ શરૂઆતમાં પોલીસને જણાવ્યું હતું કે રાત્રે તેઓ પતિ સાથે એક જ રૂમમાં સૂતા હતા પરંતુ ગરમી લાગતાં તે બાળકને લઈને બીજા રૂમમાં ચાલી ગઈ હતી. સવારે પાછી આવી ત્યારે પતિ મૃત હાલતમાં હતા અને બેડ પાસે કાળો સાપ જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
પ્રાથમિક રીતે ઘટના સાપ કરડવાથી થયેલા મૃત્યુ જેવી લાગી હતી. જોકે મૃતકના પરિવારજનોને આખી ઘટનામાં શંકા ગઈ અને તેમણે પોલીસ પાસે વિગતવાર તપાસની માંગ કરી.

ADVERTISEMENT
અતુલના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને અનેક બાબતો અસ્વાભાવિક લાગી. મૃતદેહ પરના નિશાન અને ઘટનાની કહાની વચ્ચે મેળ ન બેસતા તેમણે હત્યાની આશંકા વ્યક્ત કરી. ત્યારબાદ પોલીસે ફોરેન્સિક ટીમની મદદથી સ્થળ પરથી વિવિધ પુરાવા એકત્ર કર્યા. ફોરેન્સિક તપાસમાં મળેલા કેટલાક મહત્વના પુરાવાઓએ પોલીસની શંકા મજબૂત કરી. ત્યારબાદ દામિની અને તેની આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરવામાં આવી.
ADVERTISEMENT
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું કે દામિનીના સંબંધ સ્કૂલના બસ ડ્રાઇવર સાથે હતા. બંને લાંબા સમયથી એકબીજાના સંપર્કમાં હતા અને સાથે રહેવાની યોજના બનાવી રહ્યા હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું કે અતુલના નામે આશરે 20 લાખ રૂપિયાનું જીવન વીમા કવર હતું.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકને પોલીસ લઈ ગઈ, જુઓ ક્યાં અને કેમ?
ADVERTISEMENT
પોલીસના જણાવ્યા મુજબ પતિના મૃત્યુ બાદ આ વીમાની રકમ મેળવવાનો પણ એક હેતુ હતો. પ્રેમી સાથે નવું જીવન શરૂ કરવા માટે અતુલને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો.
પોલીસે કડક પૂછપરછ શરૂ કરતાં બંને આરોપીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળ્યો. અંતે દામિની અને તેના પ્રેમીએ ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે. તપાસમાં એ પણ સામે આવ્યું કે અતુલને નુકસાન પહોંચાડવાના અગાઉ પણ કેટલાક પ્રયાસ કરવામાં આવ્યા હતા.આ ખુલાસા બાદ પોલીસે બંનેની ધરપકડ કરી અને કોર્ટમાં રજૂ કર્યા. હાલમાં બંને આરોપીઓ જેલમાં છે અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ છે.
છેલ્લા કેટલાક સમયથી દેશના અલગ-અલગ વિસ્તારોમાં પ્રેમ સંબંધો અને પારિવારિક વિવાદોને કારણે પતિની હત્યાના કેસ ચર્ચામાં રહ્યા છે. મેરઠનો આ કેસ પણ એ જ પ્રકારની ઘટનાઓની યાદીમાં સામેલ થયો છે. ખાસ કરીને સાપના ડંખ જેવી ઘટના પાછળ હત્યાનું કાવતરું છુપાયેલું હોવાનો ખુલાસો થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.