બ્રેકિંગ ન્યુઝ
7 ફોટો ગેલેરી
Last Updated: 06:24 AM, 18 July 2026
1/7
હિન્દુ ધર્મમાં ગુપ્ત નવરાત્રિ સાધના, ભક્તિ અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવાનો વિશેષ સમય માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ દિવસોમાં કરવામાં આવેલા ઉપાયોનું ફળ ઝડપથી મળે છે. પીપળાના વૃક્ષમાં ત્રિદેવો અને પિતૃઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. તેથી ગુપ્ત નવરાત્રિના શનિવારે પીપળાની પૂજા કરવાથી ગ્રહદોષોમાં રાહત મળવાની માન્યતા છે.
2/7
જો તમે શનિ દોષ અથવા સાડાસાતીની અસરથી પરેશાન હોવ તો શનિવારની સાંજે પીપળાના વૃક્ષની જડમાં સરસવના તેલનો દીવો પ્રગટાવો. ત્યારબાદ વૃક્ષની 7 પરિક્રમા કરો અને કાળા તલ અર્પણ કરો. માન્યતા છે કે આ ઉપાયથી શનિદેવ પ્રસન્ન થાય છે અને જીવનની મુશ્કેલીઓમાં ઘટાડો થાય છે.
3/7
રાહુના અશુભ પ્રભાવને ઓછો કરવા માટે પીપળાના વૃક્ષ પર મધ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. ઉપરાંત પીપળા નીચે જરૂરિયાતમંદ વ્યક્તિને મીઠું ભોજન કરાવવાથી પણ લાભ મળે છે. આ ઉપાય રાહુના કારણે ઉભી થતી અવરોધક પરિસ્થિતિઓને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.
4/7
5/7
6/7
ગુપ્ત નવરાત્રિ મુખ્યત્વે તંત્ર-મંત્ર, સાધના અને દસ મહાવિદ્યાઓની ઉપાસના માટે જાણીતી છે. સામાન્ય નવરાત્રિની સરખામણીએ આ દિવસોમાં ભક્તો પોતાની સાધના અને મંત્ર જાપને ગુપ્ત રાખે છે. ધાર્મિક માન્યતા મુજબ આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ઉપાસનાથી આત્મબળ વધે છે અને આધ્યાત્મિક શક્તિની પ્રાપ્તિ થાય છે.
7/7
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ