બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા, જાણો કયા સમયે કયા વિસ્તારમાં પહોંચશે ભગવાનનો રથ
Last Updated: 08:06 AM, 16 July 2026
Ahmedabad Rath Yatra 2026 Route : અષાઢી બીજના પવિત્ર અવસરે આજે અમદાવાદ ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાનો સાક્ષી બન્યું છે. જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરથી ભક્તોના જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથજી, ભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજી ભવ્ય રથમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા છે. ઓડિશાના પુરી બાદ અમદાવાદની રથયાત્રા દેશની સૌથી મોટી અને ઐતિહાસિક રથયાત્રાઓમાં સ્થાન ધરાવે છે.
ADVERTISEMENT
રથયાત્રાનો પ્રારંભ સવારે લગભગ 7 વાગ્યે જમાલપુરના શ્રી જગન્નાથ મંદિરથી થયો છે. આશરે 16 કિલોમીટરનો માર્ગ કાપીને ભગવાનના રથો રાત્રે અંદાજે 8:30 વાગ્યે ફરીથી નિજ મંદિરે પરત ફરશે. સમગ્ર માર્ગ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરશે.
ADVERTISEMENT
જમાલપુરથી શરૂ થયેલી રથયાત્રા વૈશ્ય સભા, ગોલીમડા, આસ્ટોડિયા ચકલા, મદનગોપાલની હવેલી, રાયપુર ચકલા, ખાડિયા જૂની ગેટ, ખાડિયા ચાર રસ્તા, પંચકૂવા, કાલુપુર સર્કલ અને કાલુપુર બ્રિજ થઈ ભગવાનના મોસાળ સરસપુર પહોંચશે. સરસપુર ખાતે ભગવાનનું પરંપરાગત સ્વાગત કરવામાં આવશે અને ભક્તો માટે મહાભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારબાદ બપોરે સરસપુરથી પરત ફરતી યાત્રા કાલુપુર ચોખા બજાર, પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર, દિલ્હી ચકલા, ઘી કાંટા, પાનકોર નાકા, માણેકચોક અને ખમાસા થઈને જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરે પરત ફરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી 'પહિંદ' વિધિ, રથનું મંદિર પરિસરની બહાર પ્રસ્થાન
ADVERTISEMENT
જે ભક્તો રથયાત્રામાં રૂબરૂ હાજર રહી શકતા નથી તેઓ માટે VTV News દ્વારા રથયાત્રાનું જીવંત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. જેથી દેશ-વિદેશમાં રહેલા ભક્તો પણ ઘરે બેઠા ભગવાન જગન્નાથજીના દર્શનનો લાભ લઈ શકે છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.