બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગિરનાર જતા યાત્રાળુઓએ કરાવવી પડશે નોંધણી, ઓનલાઈન પણ થશે રજિસ્ટ્રેશન, ઓળખ કાર્ડ જોડે રાખવું ફરજિયાત
Last Updated: 11:14 PM, 17 July 2026
ગિરનાર પર્વત પર દર્શન માટે આવતા યાત્રાળુઓની સુરક્ષા અને અસરકારક વ્યવસ્થાપન માટે તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આવતીકાલથી ગિરનાર યાત્રા માટે ઓનલાઈન તેમજ ઓફલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવશે.
ADVERTISEMENT
નવી વ્યવસ્થા મુજબ નવી સીડી, જૂની સીડી તેમજ ગિરનાર રોપ-વે મારફતે યાત્રા કરતા તમામ યાત્રાળુઓએ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. તંત્ર દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી યાત્રાળુઓને સરળતા રહે.
સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે યાત્રાની શરૂઆત વખતે 'IN' અને પરત ફરતી વખતે 'OUT' નોંધાવવું ફરજિયાત રહેશે. આ વ્યવસ્થાથી ગિરનાર પર હાજર યાત્રાળુઓની સંખ્યા પર નજર રાખવામાં સરળતા રહેશે અને કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં ઝડપી કાર્યવાહી શક્ય બનશે.
ADVERTISEMENT
તંત્રે વધુમાં જણાવ્યું છે કે ગિરનાર આવનાર દરેક યાત્રાળુએ પોતાની સાથે માન્ય ઓળખપત્ર (ID Proof) રાખવું ફરજિયાત રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ યાત્રાળુઓની સુરક્ષા વધારવો, ભીડનું અસરકારક સંચાલન કરવું અને જરૂરી સમયે બચાવ કામગીરીને ઝડપી બનાવવાનો છે.
આ પણ વાંચોઃ રસ્તામાં બાળકોને જોઈ CM ભૂપેન્દ્ર પટેલે અટકાવી ગાડી, અંબાલીના ગ્રામનો સાથે કર્યો સંવાદ
ADVERTISEMENT
તંત્રે તમામ ભાવિકોને અપીલ કરી છે કે તેઓ સમયસર રજિસ્ટ્રેશન કરાવી નવી માર્ગદર્શિકાનું પાલન કરે અને સુરક્ષિત તથા સુવ્યવસ્થિત ગિરનાર યાત્રામાં સહકાર આપે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.