બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / રોહિત શર્માના સમર્થનમાં ઉતર્યા અશ્વિન, BCCI પર ઉઠાવ્યા સવાલ

photo-story

6 ફોટો ગેલેરી

ક્રિકેટ / રોહિત શર્માના સમર્થનમાં ઉતર્યા અશ્વિન, BCCI પર ઉઠાવ્યા સવાલ

Last Updated: 11:08 PM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Rohit Sharma: વર્ષ 2024માં ટી20 ક્રિકેટ અને 2025માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ રોહિતની ઇંગ્લેન્ડ સામેની વનડે મેચ તેની છેલ્લી વનડે કારકિર્દી મેચ હોઈ શકે છે. રોહિત શર્મા તાજેતરની ઇનિંગ્સમાં કમાલ કરી શક્યા નથી. જેના માટે તે જાણીતો છે.

1/6

photoStories-logo

1. રોહિત વનડેમાંથી લઇ શકે છે નિવૃત્તિ

લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે મેચ પહેલા અહેવાલો સામે આવી રહ્યા છે કે આ રોહિતની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હોઈ શકે છે. આ સમાચાર સામે આવ્યા બાદ ઘણા ક્રિકેટ જગતના દિગ્ગજો સોશિયલ મીડિયા પર તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. અશ્વિને રોહિત વિશે શું કહ્યું?

પૂર્વ ક્રિકેટર ​​રવિચંદ્રન અશ્વિને બીસીસીઆઇની પસંદગી નીતિ અને અભિગમ પર ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. આર અશ્વિનના મતે રોહિત શર્મા સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે તે સમજણની બહાર છે. તેના YouTube શો 'ASH ki BAAT' માં અશ્વિને રોહિત શર્મા સાથે થઇ રહેલા વર્તનની આકરી ટીકા કરી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. રોહિત કેમ ફ્લોપ થઇ રહ્યો છે?

અશ્વિને કહ્યું કે 2027ના વનડે વર્લ્ડ કપમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના રમવા અંગે ઘણી ચર્ચાઓ થઈ છે. અશ્વિને કહ્યું કે જો કોઈ ખેલાડીને ખ્યાલ આવે કે મેનેજમેન્ટ તેને ટીમમાં નથી ઈચ્છતું, તો તેનું મનોબળ તૂટી જાય છે. પરિણામે તેનું પ્રદર્શન પણ ખરાબ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. આ રોહિતનું છેલ્લા બે વર્ષમાં પ્રદર્શન

આંકડાઓની ચર્ચા કરતા અશ્વિને કહ્યું કે 2024ના T20 વર્લ્ડ કપ પછી રોહિતે સારું પ્રદર્શન કર્યું છે. 2024થી રોહિતે 19 વનડેમાં 45.21 ની સરેરાશ અને 109.15 ના સ્ટ્રાઈક રેટથી 819 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે એક સદી અને છ અડધી સદી પણ ફટકારી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. શું રોહિત સાથે અન્યાય થઈ રહ્યો છે?

અશ્વિને ટીમ મેનેજમેન્ટ અને બીસીસીઆઇની ટીકા કરતા કહ્યું કે આ સમયે રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીને ટીમમાંથી બાકાત રાખવા અથવા તેને નિવૃત્તિમાં ધકેલી દેવા એ સંપૂર્ણપણે ખોટું છે. અશ્વિને કહ્યું કે BCCI અને પસંદગીકારોએ ચેમ્પિયન્સ ટ્રોફી પછી રોહિત સાથે બેસીને તેની ભવિષ્યની યોજનાઓ વિશે સ્પષ્ટ ચર્ચા કરવી જોઈતી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. પાર્થિવ પટેલે શું કહ્યુ

બીજી તરફ રોહિતના ભૂતપૂર્વ સાથી પાર્થિવ પટેલે પણ રોહિત પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો. પાર્થિવે કહ્યું કે રોહિત હંમેશા બે કે ત્રણ ખરાબ ઇનિંગ્સ પછી મેચ વિજેતા ઇનિંગ્સ સાથે પાછો ફરે છે. જો આ તેની છેલ્લી મેચ છે, તો દરેક ભારતીય ચાહક આશા રાખશે કે તે લોર્ડ્સમાં શાનદાર સદી સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Sharma BCCI Team India
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ