બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / VTV વિશેષ / Explainer: ભારતના ઈતિહાસમાં પહેલીવાર ખાનગી કંપનીએ લોન્ચ કર્યું રોકેટ, કેમ મિશન આગમન આખા વિશ્વ માટે છે ખાસ?
Last Updated: 01:31 PM, 18 July 2026
Mission Agaman Vikram-1 : ભારતના અંતરિક્ષ ક્ષેત્ર માટે આજે એક ઐતિહાસિક દિવસ છે. અત્યાર સુધી પૃથ્વીની કક્ષામાં ઉપગ્રહો મોકલવાનું કામ મુખ્યત્વે ISRO કરતું આવ્યું છે, પરંતુ હવે પ્રથમ વખત એક ભારતીય ખાનગી કંપનીએ પોતાના જ વિકસાવેલા ઓર્બિટલ રોકેટ દ્વારા ઉપગ્રહોને અવકાશમાં સ્થાપિત કર્યું છે.
ADVERTISEMENT
હૈદરાબાદ સ્થિત સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરુટ એરોસ્પેસે આજે પોતાના પ્રથમ ઓર્બિટલ ક્લાસ રોકેટ વિક્રમ-1નું પ્રથમ ટેસ્ટ મિશન 'મિશન આગમન' લોન્ચ કર્યું. જો આ મિશન સફળ રહેશે તો ભારત અમેરિકા, જર્મની, જાપાન અને ચીન જેવા દેશોની યાદીમાં સામેલ થશે, જ્યાં ખાનગી કંપનીઓ પણ સ્વતંત્ર રીતે સેટેલાઇટ લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે. જો કે, મિશન આગમન શું છે? વિક્રમ-1માં એવી શું ખાસિયત છે? આ લોન્ચ ભારત માટે ગેમચેન્જર કેમ માનવામાં આવી રહ્યો છે? ચાલો સરળ ભાષામાં સમજીએ...
અવકાશ ક્ષેત્રે ભારતની વધુ એક હરણફાળ, ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ 1' લોન્ચ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 18, 2026
Video Source: Skyroot Aerospace#Vikram1 #Skyroot #SpaceIndia #RocketLaunch #IndiaSpace #VTVDigital pic.twitter.com/ITD6qLYXO0
ADVERTISEMENT
'મિશન આગમન' એ સ્કાયરુટ એરોસ્પેસના પ્રથમ ઓર્બિટલ રોકેટ વિક્રમ-1ની ટેસ્ટ ફ્લાઇટ છે. આ રોકેટનું લોન્ચિંગ આજે સવારે 11:30 વાગ્યે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી કરવામાં આવશે. આ મિશનનો મુખ્ય હેતુ એ ચકાસવાનો છે કે કંપનીએ સંપૂર્ણપણે ભારતમાં વિકસાવેલું લોન્ચ વ્હીકલ પૃથ્વીની કક્ષામાં સફળતાપૂર્વક પેલોડ પહોંચાડી શકે છે કે નહીં. જો આ પરીક્ષણ સફળ જશે તો ભારતના ખાનગી સ્પેસ સેક્ટર માટે નવા યુગની શરૂઆત થશે.
ADVERTISEMENT
વિક્રમ-1નું નામ ભારતના અવકાશ કાર્યક્રમના પિતા ડૉ. વિક્રમ સારાભાઈના સન્માનમાં રાખવામાં આવ્યું છે.
ADVERTISEMENT
લંબાઈ લગભગ 24 મીટર
ADVERTISEMENT
આ મોડ્યુલ એક જ મિશનમાં અલગ-અલગ કક્ષામાં અનેક સેટેલાઇટ સ્થાપિત કરી શકે છે.
ADVERTISEMENT
વિક્રમ-1ની સૌથી મોટી ખાસિયત તેનો કાર્બન કોમ્પોઝિટ બોડી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે
વિક્રમ-1માં એવી અનેક ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે, જે ભારતમાં પહેલી વખત વિકસાવવામાં આવી છે.
રોકેટના તમામ લિક્વિડ એન્જિન 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીથી બનાવાયા છે. જે એન્જિન બનાવવા પહેલાં સેંકડો ભાગો લાગતા હતા, હવે તે એક જ પ્રિન્ટેડ યુનિટમાં તૈયાર થઈ જાય છે. તેને કારણે
કંપનીએ પોતાની સ્વદેશી ન્યૂમેટિક સ્ટેજ સેપરેશન સિસ્ટમ પણ વિકસાવી છે, જે રોકેટના અલગ-અલગ સ્ટેજને વધુ સુરક્ષિત રીતે અલગ કરવામાં મદદ કરે છે.
મિશન આગમન માત્ર ટેક્નિકલ ટેસ્ટ નથી. આ મિશનમાં કેટલાક ખાસ પેલોડ પણ મોકલવામાં આવશે. તેમાં સામેલ છે
આ સૂક્ષ્મ રોકેટમાં ભારતના ત્રણ મહાન વૈજ્ઞાનિકોની અતિ સૂક્ષ્મ પ્રતિમાઓ મૂકવામાં આવી છે.
આ પ્રતિમાઓ ચોખાના એક દાણા કરતાં પણ નાની છે.
હવે PM મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ જશે અંતરિક્ષમાં
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 18, 2026
(ભારતની ખાનગી સ્પેસ કંપની ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ (Skyroot Aerospace) પોતાનું Vikram-1 રોકેટ લોન્ચ કરવા માટે તૈયાર થઇ ગઇ છે. ત્યારે આ રોકેટ ટેક્નિકલ પેલોડની સાથે PM મોદીનો એક ખાસ સંદેશ પણ અંતરિક્ષમાં લઈને જશે. PM મોદીએ પોતાના હાથે… pic.twitter.com/euJyqxFDSR
આ મિશન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પોતાના હસ્તાક્ષરમાં લખાયેલું 'વંદે માતરમ' પોસ્ટકાર્ડ પણ અવકાશમાં મોકલવામાં આવશે. તે ઉપરાંત
તેમના હસ્તલિખિત સંદેશો પણ મોકલવામાં આવશે.
હવે સુધી ભારતમાં ઓર્બિટલ લોન્ચની જવાબદારી લગભગ સંપૂર્ણપણે ઈસરો પાસે હતી. જો વિક્રમ-1 સફળ રહેશે તો
સ્કાયરુટ એરોસ્પેસની સ્થાપના 2018માં થઈ હતી.
કંપનીનો હેતુ દુનિયાભરમાં ઓછા ખર્ચે, ઝડપી અને વિશ્વસનીય સેટેલાઇટ લોન્ચિંગ સેવા આપવાનો છે. ઈસરોની ટેસ્ટિંગ સુવિધાઓ અને લોન્ચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળવાથી કંપનીના વિકાસને પણ મોટી ગતિ મળી.
18 નવેમ્બર 2022ના રોજ સ્કાયરુટે વિક્રમ-S નામનો ભારતનો પ્રથમ ખાનગી સબ-ઓર્બિટલ રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો. આ મિશનમાં
જેવી અનેક મહત્વની ટેક્નોલોજીની સફળ ચકાસણી થઈ હતી. હવે એ જ ટેક્નોલોજીને વધુ વિકસાવીને વિક્રમ-1 તૈયાર કરવામાં આવ્યો છે.
છેલ્લાં થોડાં વર્ષોમાં સરકારે અનેક મોટા નિર્ણયો લીધા છે.
2014માં દેશમાં માત્ર એક સ્પેસ સ્ટાર્ટઅપ નોંધાયેલું હતું. ફેબ્રુઆરી 2026 સુધી આ સંખ્યા વધીને 400થી વધુ થઈ ગઈ છે. ભારતીય સ્પેસ સ્ટાર્ટઅપ્સમાં અત્યાર સુધી 500 મિલિયન ડોલરથી વધુનું રોકાણ થઈ ચૂક્યું છે. આ ક્ષેત્રની અગ્રણી કંપનીઓમાં
જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ 'વિક્રમ 1' લોન્ચ, અવકાશમાં લઇને જશે PM મોદીનો સંદેશ
સ્કાયરુટનું કહેવું છે કે હાલ સૌથી મોટું લક્ષ્ય વિક્રમ-1ને વિશ્વસનીય ઓર્બિટલ લોન્ચ વ્હીકલ તરીકે સ્થાપિત કરવાનું છે. જો 'મિશન આગમન' સફળ રહેશે તો તે માત્ર એક રોકેટ લોન્ચ નહીં, પરંતુ ભારતના ખાનગી અંતરિક્ષ ઉદ્યોગ માટે નવા અધ્યાયની શરૂઆત સાબિત થશે. આજે આખી દુનિયાની નજર શ્રીહરિકોટા પર એટલા માટે જ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.