બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટ વિવાદ: નિર્મોહી અખાડા સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, ટ્રસ્ટના પુનર્ગઠનની માંગ કરી
Last Updated: 09:50 PM, 18 July 2026
અયોધ્યા શ્રી રામ મંદિરના ચઢાવામાં ચોરી અને નાણાકીય અનિયમિતતાઓનો મામલો હવે દેશની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. નિર્મોહી અખાડાએ આ વિવાદને લઈને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. નિર્મોહી અખાડાએ પોતાની અરજીમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પુનર્ગઠન કરવાની અને ગર્ભગૃહમાં હાલની નવ-પ્રતિષ્ઠિત મૂર્તિના સ્થાને વર્ષ 1950 અને 1982 થી સ્થાપિત મૂળ વિગ્રહોને પુનઃ સ્થાપિત કરવાની અપીલ કરી છે. આ જ કેસમાં, રામ મંદિર ચઢાવા ચોરી મામલે એસઆઈટી (SIT) તપાસની માંગ કરતી અન્ય એક અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થવાની છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
નિર્મોહી અખાડાએ માંગ કરી છે કે આ ટ્રસ્ટને સંપૂર્ણપણે 'પબ્લિક ટ્રસ્ટ' તરીકે પુનર્ગઠિત કરવામાં આવે અને તેના તમામ નાણાકીય તથા મિલકત સંબંધી વ્યવહારોનું કડક 'ફોરેન્સિક ઓડિટ' કરાવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2019 માં સુપ્રીમ કોર્ટની 5 જજોની બંધારણીય બેંચે અયોધ્યા જમીન વિવાદ પર ઐતિહાસિક ચુકાદો આપતા ભગવાન શ્રી રામ લલા વિરાજમાનના પક્ષમાં નિર્ણય આપ્યો હતો અને કેન્દ્ર સરકારને મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાનો આદેશ આપ્યો હતો.

ADVERTISEMENT
અખાડાનું કહેવું છે કે 2019 ના ચુકાદાના લગભગ 7 વર્ષ બાદ પણ કોર્ટના નિર્દેશોનું સાચા અર્થમાં પાલન થયું નથી. અરજીમાં આક્ષેપ કરાયો છે કે વર્તમાન ટ્રસ્ટ માત્ર કેટલાક નિયુક્ત અને હોદ્દાની રૂએ બનેલા સભ્યોની મનસ્વી સંસ્થા બની ગયું છે, જે કોઈપણ પૂરતી જવાબદારી કે પારદર્શિતા વગર સાર્વજનિક ધાર્મિક સંપત્તિઓ પર પોતાના અધિકારોનો ઉપયોગ કરી રહ્યું છે. અરજીમાં તાજેતરમાં શ્રદ્ધાળુઓ દ્વારા ચઢાવવામાં આવેલા દાન અને કિંમતી વસ્તુઓની કથિત ઉચાપતના આરોપોનો પણ ઉલ્લેખ કરાયો છે. આ મામલાની તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા ઓલરેડી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે, તેથી ટ્રસ્ટના આર્થિક વ્યવહારોની ફોરેન્સિક તપાસ થવી ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
નિર્મોહી અખાડાએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે ટ્રસ્ટમાં અખાડા માટે નક્કી કરાયેલા એકમાત્ર પ્રતિનિધિની પસંદગી અખાડાની પરંપરા મુજબ કરવામાં આવી નથી. મહંત દિનેન્દ્ર દાસનું નામાંકન અખાડાની સ્વીકૃત પ્રક્રિયાને સુસંગત નથી. મૂર્તિ સ્થાપનાના મુદ્દે અખાડાએ જણાવ્યું છે કે, મૂળ વિગ્રહના સ્થાને નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી મુકદ્દમાના મૂળ વિષયમાં જ ફેરફાર થઈ ગયો છે, જે ટ્રસ્ટના અધિકાર ક્ષેત્રની બહારની બાબત છે.
આ પણ વાંચોઃ રોહિત શર્માના રિટાયરમેન્ટ વિવાદને લઇ BCCI નારાજ, સિલેક્ટર્સને આપી વોર્નિંગ!
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.