બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમા ફટાકડાની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, અનેક લોકો દાઝ્યા, 5થી વધુ ફાયરબ્રિગેડની ગાડી ઘટનાસ્થળે
Last Updated: 05:01 PM, 18 July 2026
અમદાવાદ શહેરના રામોલ-ગતરાડ રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, આ દુર્ઘટનામાં 2 લોકોનાં મોત થયા છે, જ્યારે 10થી વધુ લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે.
ADVERTISEMENT
ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે
ADVERTISEMENT
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે બચાવ કામગીરી શરૂ કરી હતી. સાથે જ અનેક એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા
ADVERTISEMENT
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. ઘટનાસ્થળે બચાવ અને શોધખોળની કામગીરી ચાલુ હોવાથી મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ ''...તો હું તમારો ભાઇ નથી'', નોટિસ બાદ રકમ ભરપાઈ ના કરતા ભાવનગરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એક્શનમાં
ADVERTISEMENT
પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારને સુરક્ષિત બનાવવામાં આવ્યો છે અને આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. ફેક્ટરીમાં સલામતીના નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું કે નહીં તે મુદ્દે પણ તપાસ હાથ ધરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.