ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ક્યારે સાદું પાણી અને ક્યારે નારિયેળ-લીંબુ પાણી જરૂરી? શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની કમીના સંકેતો જાણો

photo-story

6 ફોટો ગેલેરી

હેલ્થ / ક્યારે સાદું પાણી અને ક્યારે નારિયેળ-લીંબુ પાણી જરૂરી? શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સની કમીના સંકેતો જાણો

Last Updated: 06:27 PM, 16 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

શરીરમાં પાણી પરસેવો, ઊલટી કે ઝાડા વખતે ઈલેક્ટ્રોલાઈટ્સની પણ જરૂર પડે છે. સામાન્ય દિવસે પાણી અને સારો આહાર પૂરતો છે પરંતુ જરૂર પડે ત્યારે નારિયેળનું પાણી, લીંબુનું પાણી કે ORS લઈ શકાય છે.

1/6

photoStories-logo

1. પાણીની જરૂરીયાત

ફક્ત પાણી પીવાથી શરીરની હાઈડ્રેશનની જરૂરિયાત હંમેશા પૂરી થતી નથી. ગરમીમાં પરસેવો વધુ આવે, લાંબી કસરત કરો, ઊલટી કે ઝાડા થાય ત્યારે પાણી સાથે જરૂરી મિનરલ્સ પણ બહાર નીકળી જાય છે. આ મિનરલ્સને ઈલેક્ટ્રોલાઈટ્સ કહેવામાં આવે છે, જે શરીરના પાણીનું સંતુલન જાળવવા, હૃદયની ધબકારા સામાન્ય રાખવા અને સ્નાયુ-નસોના કાર્ય માટે મહત્વના છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. વધી શકે છે તકલીફ

સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ક્લોરાઈડ જેવા આ ઈલેક્ટ્રોલાઈટ્સ દરેક પોતાનું અલગ કામ કરે છે. સોડિયમ પાણી અને લોહીની માત્રા સંતુલિત રાખે છે, પોટેશિયમ હૃદયની ધબકારા અને સ્નાયુઓ માટે જરૂરી છે, જ્યારે મેગ્નેશિયમ ઊર્જા બનાવવામાં મદદ કરે છે. જ્યારે આમાં ઘટાડો થાય ત્યારે શરીરમાં કમજોરી, થાક, માથાનો દુખાવો, ચક્કર અને અસ્વસ્થતા જેવા લક્ષણો દેખાઈ શકે છે. ઘણી વાર લોકો તેને સામાન્ય થાક સમજી લે છે પરંતુ સમયસર ધ્યાન ન આપવાથી તકલીફ વધી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/6

photoStories-logo

3. ઈલેક્ટ્રોલાઈટ્સની ખામી

જ્યારે વધુ પરસેવો આવે, તીવ્ર કસરત થાય કે ઊલટી-ઝાડા થાય ત્યારે ઈલેક્ટ્રોલાઈટ્સની ખામી થવાની શક્યતા વધી જાય છે. જો કે, દરેક વ્યક્તિમાં આ લક્ષણો હંમેશા ઈલેક્ટ્રોલાઈટની ખામીને કારણે હોય તેવું જરૂરી નથી પરંતુ જો આવી સમસ્યાઓ વારંવાર થાય તો ધ્યાન આપવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ડૉક્ટરોની ભલામણ

ડૉક્ટરો અનુસાર સામાન્ય દિવસે પૂરતું ખાવું-પીવું અને વધુ પરસેવો ન આવે તો અલગથી ઈલેક્ટ્રોલાઈટ ડ્રિંકની જરૂરિયાત સામાન્ય રીતે નથી રહેતી. બજારમાં વેચાતી ડ્રિંક્સ હંમેશા જરૂરી નથી. ઝાડા કે ઊલટીની સ્થિતિમાં યોગ્ય રીતે બનાવેલ ORS પી શકાય છે. તે સિવાય નારિયેળનું પાણી અને લીંબુનું પાણી પણ સારો વિકલ્પ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/6

photoStories-logo

5. લીંબુનું પાણી

નારિયેળના પાણીમાં પોટેશિયમ સહિત અમુક ઈલેક્ટ્રોલાઈટ્સ હોય છે. જે શરીરને ફરી તાજગી આપવામાં મદદ કરે છે. લીંબુનું પાણી પણ હાઈડ્રેશન અને ફ્રેસનેસ માટે ઉપયોગી છે. સામાન્ય સ્થિતિમાં પાણી પીવું અને સંતુલિત આહાર જાળવવો પૂરતું છે પરંતુ જ્યારે શરીરમાંથી પ્રવાહી અને મિનરલ્સ વધુ નીકળી જાય ત્યારે ઈલેક્ટ્રોલાઈટ્સ પર ધ્યાન આપવું જરૂરી બને છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. Disclaimer

આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Sodium balances Drinking water Sodium water
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ