બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસને કારણે ઘણી બધી ઇવેન્ટો અને રમત ગમતની સ્પર્ધાઓ રદ્દ થઈ રહી છે ત્યારે હવે IPLને લઈને અટકળો સામે આવી રહી છે કે IPL રદ્દ થશે કે નહિ પરંતુ IPL સંચાલન કમિટીના અધ્યક્ષ બ્રિજેશ પટેલે મંગળવારે જણાવ્યું છે કે કોરોના વાયરસ ફેલાવવાના કારણે ટુર્નામેન્ટને કોઈ ખતરો નથી. અને હાલ તો અધિકારીઓ પરીસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.

ADVERTISEMENT
કમિટી પરિસ્થિતિ પર પણ નિરીક્ષણ કરી રહ્યાં છે
IPL નો શુભારંભ 29 માર્ચે મુંબઈમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ જંગ થશે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ 24 મેના રોજ રમાશે. હવે જોવાનું તે રહેશે કે આગળ કેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
સૌરવ ગાંગુલીની શું પ્રતિક્રિયા છે?
ADVERTISEMENT

BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ કહ્યું કે IPLને કોરોના વાયરસથી કોઈ ખતરો નથી અને ગાંગુલીએ વધુ જણાવતાં કહ્યું કે 'હજુ સુધી કંઈ થયું નથી એટલે અમે તેના પર ચર્ચા પણ નથી કરી' જો કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવાશે. અત્યાર સુધી ભારતમાં 28 કેસ કોરોના વાયરસના નોંધાયા છે અને દિલ્હી, નોઈડા અને આગ્રામાં સૌથી વધારે અસર જોવા મળી રહી છે.
ADVERTISEMENT
કોરોનાના કારણે ઘણી રમતો રદ્દ કરવામાં આવી છે
કોરોના વાયરસને લઈને ઘણી રમતો રદ્દ કરવામાં આવી છે. કોરોનાના કારણે ઓલિમ્પિક ક્વોલિફાઇની તમામ ઇવેન્ટ્સ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત જર્મન ઓપન, વિયેતનામ ઓપન અને અઝલાન શાહ ટુર્નામેન્ટ રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત શૂટિંગ વર્લ્ડ કપ અને ઉ.કોરિયામાં મેરેથોન રદ્દ કરવામાં આવો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.