અનિચ્છિય ગર્ભને રોકવા માટે મહિલાઓ ગર્ભનિરોધક ગોળીઓ એટલે કે બર્થ કંટ્રોલ પીલ્સનું સેવન કરવા લાગે છે પરંતુ ઘણી વખત કોઇ કારણથી ગોળીઓ લેવાનું ભૂલી જાવ છો અથવા અધવચ્ચેથી કોર્સ છોડી દો છો. તો પ્રેગનેન્સીના ચાન્સ વધી જાય છે.
ચલો તમને જણાવીએ જો તમે અધવચ્ચેથી જ બર્થ કંટ્રોલ પિલ્સનું સેવન બંધ કરી દો છો અથવા ગોળી ખાવાનું ભૂલી જાવ છો તો શું થાય છે.
કઇ મહિલાઓને પિલ્સ લેવાની સલાહ આપવામાં આવે છે
સામાન્ય રીતે ગર્ભનિરોધક ગોળી એ મહિલાઓને સલાહ આપવામાં આવે છે જે યૌન રૂપથી સક્રિય છે અને ગર્ભાવસ્થામાં સુરક્ષા ઇચ્છે છે. આ ઉપરાંત પીસીઓસ અથલા પીસીઓડી, વાળ પતલા થવા અથવા વાળ ઊતરવા જેવી સમસ્યાઓને દૂર કરવા માટે પણ ડોક્ટર્સ આ દવા લેવાની સલાહ આપે છે.
ઇમરજન્સી અને ગર્ભનિરોધક ગોળીમાં અંતર
મોટાભાગે મહિલાઓ મૂંઝવણમાં રહે છે. પરંતુ આજે અમે તમને બંને વચ્ચે શું અંતર હોય છે એ જણાવી દઇએ છીએ. કૉન્ટ્રેસેપ્ટિવ પીલ એ હોય છે જેને તમે મહિવા અનુસાર લો છો. પરંતુ જે મહિલાઓ સેફ્ટી વગર સંબંધ બાંધે છે એમને પ્રેગનેન્સીથી બચવા માટે જે પીલ આપવામાં આવે છે એને ઇમરજન્સી પીલ કહેવામાં આવે છે.
કેવી રીતે કામ કરે છે ગર્ભનિરોધક ગોળીઓ?
વાસ્તવમાં આ પિલ્સ લેવાથી ઓવયૂલેશન રોકાઇ જાય છે, જેનાથી ઇંડા ઓવરીઝની બહાર નિકળી શકતા નથી. પરંતુ ઇંડા ઓવરીની બહાર આવી જાય તો તે સ્પર્મના સંપર્કમાં આવી જાય છે પરંતુ તમામ પિલ્સ આવી રીતે કામ કરતી નથી. કેટલીક પીલ્સ ગર્ભાશયની અંદર બનતી પરતને જાડી કરે છે, જેનાથી સ્પર્મ ઇંડા સુધી પહોંચી શકતા નથી.
કેટલી અસરકારક છે આ ગોળીઓ?
એક્સપર્ટનું કહેવું છે કે આ પીલ્સ ત્યારે અસર કરે છે જ્યારે એને સમયસર અને સાચી રીતે લેવામાં આવે. જો મહિલાઓ વચ્ચેથી ગોળીઓ લેવાનું બંધ કરી દે તો એના પ્રેગનેન્ટ થવાના ચાન્સિસ વધી જાય છે. એક્સપર્ટનું કહેવું છે કે જો ગોળીઓનો કોર્સ પૂરો કરવામાં આવે તો એ 99% કામ કરે છે.
શું થશે જો મિસ થઇ જાય રૂટીન...
એસ્ટ્રોજેન અને પ્રોજેસ્ટેરોનથી બનેલી આ કોમ્બિનેશન પીલ, હોર્મોનના દર મહિને થતા બદલાવ અથવા અસ્થિરતાને રોકે છે, જે ઓવયૂલેશન રોકે છે. જો કે આ ગોળીઓ એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે એની અસર 24 કલાક સુધી રહે છે. એવામાં જ્યારે તમે ગોળી લેવાનું ભૂલી જાવ છો તો હોર્મોન સ્તર નીચે પડી જાય છે, જેનાથી માથાના દુખાવો, પેટમાં ગડબડ, ચહેરા પર ડાઘ ધબ્બા પડવા અને ગુસ્સા જેવી સાઇડ ઇફેક્ટ્સ જોવા મળે છે.
એક્સપર્ટ કહે છે કે જો તમે કોઇ કારણોસર ગોળી લેવાનું ભૂલી જાવ છો તો હોર્મોન્સનું સ્તર સામાન્યથી નીચે પડી જાય છે, જેના કારણે પ્રેગનેન્સીના ચાન્સ વધી જાય છે.
જો તમે મિડ પેકને વચ્ચે છોડી દો છો અથવા ગોળી મિસ કરો છો તો એનાથી પીરિયડ્સ સાઇકલ બગડી જાય છે અને એને સામાન્ય થવામાં ખૂબ સમય લાગે છે.
કારણ કે આ ઓવયૂલેશન ચક્રને કંટ્રોલ અને પ્રોટેક્ટ કરે છે એટલા માટે પીલ્સ ના લેવાથી ઓવયૂલેશન પર અસર પડે છે. જેનાથી ઇંડા ઓવરીઝથી બહાર નિકળી શકે છે. સાથે જ એનાથી સામાન્ય રક્તસ્ત્રાવ પણ થઇ શકે છે.
દરરોજ ગોળી લેવાની સાથે એવું પણ જરૂરી છે કે તમે એને એક જ સમયે લો. એનાથી હોર્મોન્સ કંટ્રોલમાં રહે છે. વધારેમાં વધારે 1 2 કલાક પીલ ઉપર નીચે કરી શકો છો.
પરંતુ વધારે સમયમાં ફેરફાર થવાથી પ્રેગનેન્ટ થવાના ચાન્સીસ વધે છે.
જ્યારે મહિલાઓ પ્રેગનેન્સી માટે પૂરી રીતે તૈયાર રહે છે તો એ વચ્ચેથી જ લેવાનું બંધ કરી દે છે. જો કે પીલ્સ બંધ કર્યા બાદ પીરિયડ્સ અને ઓવયૂલેશવ ચક્ર સામાન્ય થવામાં થોડો સમય લાગી જાય છે. આ ઉપરાંત અચાનક પીલ્સ વચ્ચે છોડી દેવાથી ખીલ, મોડા પીરીયડ્સ, મૂડ સ્વિંગ્સ, વાળ પાતળા થવા જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે. એવામાં તમારે તમારા ડોક્ટર સાથે સંપર્ક કરવો જોઇએ.
શું કરશો?
હવે વાત આવે છે કે જ્યારે તમે ગોળી લેવાનું ભૂલી જાવ તો શું કરશો? જો તમે ગોળી લેવાનું ભૂલી ગયા છો તો એને જલ્દીથી જલ્દી લેવાનો પ્રયત્ન કરો. તમારે વધારે મોડું કરવું જોઇએ નહીં. જેટલી જલ્દી દવા લેશો એટલું રિસ્ક ઓછું થશે.