ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / 3 કલાક, 5 કરાર અને 7 મોટા એલાન... UAE રાષ્ટ્રપતિના દિલ્હી પ્રવાસથી ભારતે શું શું મળ્યું?
Last Updated: 11:30 PM, 19 January 2026
ADVERTISEMENT
દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો દરમિયાન બંને દેશોએ વ્યૂહાત્મક સંરક્ષણ ભાગીદારી, અવકાશની માળખાગત સુવિધાઓ અને ઉર્જા સુરક્ષા જેવા ક્ષેત્રોમાં સહયોગ માટે અનેક દસ્તાવેજો અને કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ ભારત-UAE સમિટને મહત્વની મુલાકાત ગણાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન વચ્ચે પ્રતિબંધિત અને પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચા થઇ હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ સિવાય બંને દેશો વચ્ચે ખાદ્ય સુરક્ષા ક્ષેત્રે થયેલા આ સમજૂતી કરારથી ભારતીય ખેડૂતોને લાભ થશે અને UAEની ખાદ્ય સુરક્ષા મજબૂત થશે. એવો પણ કરાર થયો છે કે UAE ભારતમાં ડેટા સેન્ટર ક્ષમતા અને સુપરકોમ્પ્યુટિંગ ક્લસ્ટર સ્થાપિત કરવા રોકાણ કરશે. AIને સહયોગના પ્રાથમિકતાવાળા ક્ષેત્ર તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સિવાય બંને દેશો પરસ્પર સાર્વભૌમત્વ પર આધારિત "Data Embassy" સ્થાપિત કરવા પણ કામ કરશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT
UAEમાં રહેતા 4.5 મિલિયન ભારતીયો માટે અબુ ધાબીમાં "હાઉસ ઓફ ઇન્ડિયા" સ્થાપિત કરવામાં આવશે જે બંને દેશોના સહિયારા વારસા તરીકે રજુ કરશે. જેમાં બંને નેતાઓએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર વિચાર પણ રજુ કર્યા હતા અને આ ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિનું સમર્થન કર્યું હતું. આ સાથે બંને દેશોએ પશ્ચિમ એશિયા અને આફ્રિકામાં એક્સપોર્ટને વધારવા પણ સહમતી બનાવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ