બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / ડિપ્રેશનના ટોપ 3 સંકેતો કયા? ડોક્ટરે બતાવ્યો એક અસરકારક ઉપાય, કરો રૂટિનમાં સામેલ

હેલ્થ / ડિપ્રેશનના ટોપ 3 સંકેતો કયા? ડોક્ટરે બતાવ્યો એક અસરકારક ઉપાય, કરો રૂટિનમાં સામેલ

Nirav Kumar

Last Updated: 01:22 AM, 4 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકો ડિપ્રેશનનો શિકાર છે તેમને તેના પ્રારંભિક સંકેતોને ઓળખવા જરૂરી છે. આ સાથે એક મામૂલી બદલાવ કરીને તમે આ સમસ્યામાંથી બહાર નીકળી શકો છો.

અત્યારની લાઇફસ્ટાઇલના કારણે ડિપ્રેશન જેવી બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે. જેમાં અનેક લોકો સ્ટ્રેસ, ઊંઘનો અભાવ, કામનું પ્રેશર અને સંબંધોમાં ઉતાર-ચઢાવને કારણે ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. મોટાભાગના લોકો વધુ પડતા વિચારવાને કારણે ડિપ્રેશનનો શિકાર બને છે. પરંતુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી કેમ, કે આ સ્થિતિ હવે દવા વગર પણ દૂર કરી શકાય છે. જેમાં તમારે માત્ર લાઇફસ્ટાઇલ બદલવાની જરૂર છે. એના માટે તેના પ્રારંભિક સંકેતોને ઓળખવા જરૂરી છે. જે નીચે મુજબ છે.

  • દરરોજ ઉદાસ રહેવું
    જો તમે કોઈ કારણ વગર ઉદાસ ફીલ કરો છો કે અજીબ મૂડ રહે છે તો આ ડિપ્રેશનનું સંકેત હોઈ શકે છે. પણ આ ઘણીવાર પર્યાવરણીય પરિબળોને કારણે પણ થાય છે.
  • ઊંઘનો અભાવ
    ડિપ્રેશનવાળા લોકોને ઘણીવાર રાત્રે સૂવામાં સંઘર્ષ કરવો પડે છે. અને આખી રાત વિચારવામાં પસાર કરે છે. આ રીતે ભૂખ ન લાગવી કે વધુ પડતું ખાવું પણ તેનું એક લક્ષણ છે.
  • વિચાર પ્રભાવિત થવા
    ડિપ્રેશન ધરાવતા લોકો ઘણીવાર નકારાત્મક વિચારો ફીલ કરે છે. તેઓ અનેક વાર પોતાને યુઝલેસ માને છે અને વારંવાર નકારાત્મક વિચારે છે. તે સંકેત ડિપ્રેશન સૂચવે છે.
vtv app promotion
  • ડોક્ટરે જણાવ્યો એક અસરકારક ઉપાય
    ડિપ્રેશનના આ સંકેતમાં તમારે વિશેષ કઈ કરવાની જરૂર નથી. એના માટે તમારે માત્ર તમારી દિનચર્યામાં ફેરફાર કરવાની જરૂર છે. મતલબ કે, ડિપ્રેશન ધરાવતા લોકો અનેક વાર દિવસ અંધારામાં પસાર કરવાનું અને રાત્રે જાગતા રહેવાનું પસંદ કરે છે. આથી આ કારણ બદલો અને પોતાને શાંત રાખો.
  • શું કરવું જોઈએ ?

દિવસ દરમિયાન અંધારામાં સમય પસાર કરવાનું ટાળવાનો પ્રયાસ કરો અને પ્રકાશમાં રહીને તમારા મનને શાંત રાખો. આ સિવાય રાત્રે સૂવાનો પ્રયાસ કરો જેથી તમારું મન વધુ શાંત બને.

વધુ વાંચો : શું તમને પણ ઠંડીમાં વારંવાર દૂધવાળી ચા પીવાની છે આદત? તો ચેતી જજો, જાણો સાઇડ ઇફેક્ટ્સ!

  • આ બાબતો રાખો ધ્યાને

દરરોજ સાંજે 30 મિનિટ ચાલવા જાઓ. તમારા મનને શાંત કરવા માટે યોગ અને પ્રાણાયામ કરો. તમારા મોબાઇલ ફોનનો ઉપયોગ ઘટાડો તથા દરરોજ 8 કલાકની ઊંઘ લો અને એકલા રહેવાનું ટાળો.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stress Lifestyle Depression
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ