બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
સામાન્ય રીતે ડોક્ટર માને છે કે એક સ્વસ્થ વ્યક્તિએ એક દિવસમાં 2-4 લિટર પાણી પીવું જોઇએ. ખાસ પરિસ્થતિ જેમ કે જિમ, એક્સર્સાઇઝ, ભારે મહેનત કે ગરમીના કારણે તેની માત્રા વધી શકે છે. જો તમે રોજ પાંચ થી છ લિટર પાણી પીશો તો તમારા સ્વાસ્થ્ય પર વિપરિત અસર પણ પડી શકે છે.
પાણી પીવાથી આમ વધે છે વજન
ADVERTISEMENT
આપણુ વજન ત્યારે વધે છે જ્યારે શરીરમા ફેટ જમા થાય છે. જામેલા ફેટ સેલ્સમાં પાણીની માત્રા પણ હોય છે. આવા સંજોગોમાં જો તમે જરુર કરતા વધુ પાણી પીવો છો તો કિડની બધા પાણીને બહાર કાઢવામાં સક્ષમ હોતી નથી. બચેલુ પાણી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સનુ બેલેન્સ બગાડે છે. તેનાથી પાણી શરીરમાં જમા થઇ જાય છે અને તમારુ વજન વધી જાય છે. 24 કલાકમાં જ આ જમા થયેલુ પાણી શરીરમાંથી નીકળી જાય છે. જો તમને રોજ વધુ પાણી પીવાની આદત હોય તો તમને મેદસ્વીતાની સમસ્યા થઇ શકે છે.

ADVERTISEMENT
વધુ તરસ કેમ લાગે છે
સામાન્ય રીતે વધુ સોડિયમ અને ઓછા પોટેશિયમના સેવનથી વધુ તરસ લાગે છે. મીઠું સોડિયમમાંથી બનેલુ હોય છે તેથી વધુ મીઠુ ખાનાર લોકોને વધુ તરસ લાગે છે. મીઠુ સેલ્સમાંથી પાણીને બહાર કાઢે છે. આવા સંજોગોમાં જો તમે વધુ મીઠુ ખાવ છો તો તમારી કોશિકાઓ મગજને જલ્દી જલ્દી તરસ લાગવાના સંકેત મોકલવા લાગે છે.
ADVERTISEMENT
કિડની પર ખરાબ અસર
જરુરિયાત કરતા વધુ પાણી પીવાથી ઓવરહાઇડ્રેશનની સમસ્યા થઇ શકે છે. તેની સીધી અસર કિડની પર પડે છે. કિડની આપણા શરીરમાં પાણીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. જો તમે રોજ વધુ માત્રામાં પાણી પીતા હો તો કિડની પર વધુ બોજ પડે છે. લાંબા સમયે કિડની ફેલ થવાનો ખતરો પણ રહે છે.
ADVERTISEMENT
હાલમાં ભારતીય વિદ્યાર્થીઓની સુવિધાને ધ્યાનમાં રાખીને દૂતાવાસે તેની વેબસાઇટ પરથી એવી તમામ કૉલેજના નામ હટાવી દીધા છે, જ્યાં એમબીબીએસનો અભ્યાસક્રમ અંગ્રેજીમાં ભણાવવામાં આવશે નહીં. નવા નિયમ આવ્યા બાદ અન્ય કૉલેજોમાં પ્રવેશ લેનાર ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસક્રમ પૂર્ણ કરવા માટે મેન્ડરિન શીખી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.