ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / વડોદરામાં બિઝનેસમેનની 15 વર્ષીય પુત્રીએ સ્કૂલેથી ઘરે આવી બિલ્ડીંગના પાંચમા માળેથી છલાંગ લગાવી
Last Updated: 04:22 PM, 19 September 2026
ADVERTISEMENT
વડોદરાના માંજલપુરમાં એક બિઝનેસમેનની 15 વર્ષની પુત્રીએ સ્કૂલેથી ઘેર આવીને પોતાની બિલ્ડિંગના 5મા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી હતી. સપ્ટેમ્બરના બપોરના સમયે સ્કૂલેથી પરત આવીને તરત તેણે આ પગલું ભર્યું હતું. વિદ્યાર્થિની વડસર બ્રિજ પાસેની જય અંબે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. માથામાં ગંભીર ઈજાઓ થતા વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
ઘટનાસ્થળે જ મોત
આ ઘટના બાદ લોકો દાડી આવ્યાં હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી જોકે ત્યાં સુધીમાં તેનું મોત થઈ ચૂક્યું હતું. કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી.
ADVERTISEMENT
રાજકોટ યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીનીનો આપઘાત
રાજકોટમાં વધુ એક આપઘાતની ઘટના સામે આવી છે જેમાં શહેરના મોરબી રોડ પર આવેલ મારવાડી યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલના એ વિંગના 10માં માળેથી ઝંપલાવી વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. મૂળ આંધ્રપ્રદેશની વતની 19 વર્ષીય અલ્લા વ્યંકટેશ સૌબર્નિકાએ સવારે 10 વાગ્યે હોસ્ટેલના 10માં માળેથી ઝંપલાવી આપઘાત કર્યો હતો જે બાદ બનાવ અંગે જાણ થતા કુવાડવા પોલીસ અને 108 ટિમ સ્થળ પર પહોંચી મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
આત્મહત્યાનું કારણ અકબંધ
ADVERTISEMENT
યુનિવર્સીટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર વર્ગીશ નીધીશએ જણાવ્યું હતું કે, મૂળ આંધ્રપ્રદેશની વતની 19 વર્ષીય સૌબર્નિકા વ્યંકટેશ અલ્લાએ આજે સવારે મારવાડી યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની એ વિંગના 10માં માળેથી ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. બનાવની જાણ થતા તાત્કાલિક 108 બોલાવી તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તબીબે તપાસી મૃત જાહેર કરી હતી. સૌબર્નિકા અમારી યુનિવર્સીટીમાં કોમ્પ્યુટર એન્જીનીયર માં AI બેઝ અભ્યાસ કરતી હતી પ્રથમ વર્ષ પૂર્ણ થયા બાદ હાલમાં તે બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી હતી. આપઘાત ક્યાં કારણોસર કર્યો તે અંગે કોઈ માહિતી નથી હાલ પોલીસ તપાસ ચાલુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.