ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 2027માં શનિના ડબલ ગોચરથી સાવધાન, આ 4 રાશિઓને થશે નુકસાન!

photo-story

8 ફોટો ગેલેરી

જ્યોતિષ શાસ્ત્ર / 2027માં શનિના ડબલ ગોચરથી સાવધાન, આ 4 રાશિઓને થશે નુકસાન!

Last Updated: 01:47 PM, 19 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shani Gochar 2027 : વર્ષ 2027માં શનિનું ડબલ ગોચર થશે. શનિ પહેલાં મેષ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ મીન રાશિમાં પાછા ફરશે. જાણો કે કઈ ચાર રાશિઓ પર તેની અસર પડી શકે છે.

1/8

photoStories-logo

1. શનિ બે કરશે રાશિ પરિવર્તન

વર્ષ 2027માં શનિની ગતિમાં એક મહત્વપૂર્ણ પરિવર્તન જોવા મળશે. આ વર્ષ દરમિયાન શનિ બે વાર રાશિ પરિવર્તન કરશે. શરૂઆતમાં તે મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે અને થોડા મહિનાઓ બાદ, વક્રી ગતિને કારણે તે ફરીથી મીન રાશિમાં પાછો ફરશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, શનિના આ ડબલ રાશિ પરિવર્તનની અસર 'સાડાસાતી' અને 'ઢૈયા' જેવા તબક્કાઓ પર પડશે. આ ફેરફાર ખાસ કરીને મેષ, વૃષભ, કુંભ અને મીન રાશિના જાતકો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/8

photoStories-logo

2. 3 જૂને શનિ કરશે મેષ રાશિમાં પ્રવેશ

શનિ દેવ 3 જૂન, 2027ના રોજ શનિદેવ મીન રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ, 9 ઓગસ્ટ, 2027ના રોજ શનિ વક્રી થશે. આ વક્રી ગતિ દરમિયાન, લગભગ સાડા ચાર મહિના પછી એટલે કે 20ઓક્ટોબર, 2027ના રોજ શનિ ફરીથી મીન રાશિમાં પાછા ફરશે. આનો અર્થ એ છે કે શનિ મેષ રાશિમાં લાંબા સમય સુધી રહેશે નહીં અને વર્ષના અંત સુધીમાં ફરી મીન રાશિમાં આવી જશે. પરિણામે, 2027માં શનિનો પ્રભાવ કોઈ એક સીધો કે એકમાત્ર ફેરફાર નહીં હોય. પહેલા જૂનમાં રાશિ પરિવર્તન થશે અને ત્યારબાદ ઓક્ટોબરમાં તેમના પાછા ફરવા સાથે પરિસ્થિતિમાં બદલાવ જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/8

photoStories-logo

3. વૃષભ રાશિ પર શરુ થશે સાડાસાતી

જ્યોતિષીય ગણતરીઓ મુજબ, વૃષભ રાશિના જાતકો માટે 'સાડાસાતી' શનિના મેષ રાશિમાં પ્રવેશ સાથે પહેલુ ચરણ શરૂ થશે. આ સમયગાળા દરમિયાન નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ખર્ચમાં વધારો થઈ શકે છે. તેથી, બજેટનું પાલન કરવું ફાયદાકારક રહેશે. જો તમે નોકરી બદલવાનું કે મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોવ, તો ઉતાવળિયો નિર્ણય લેવાને બદલે નવી શરતો અને તેની સાથે સંકળાયેલા જોખમોને સારી રીતે સમજી લેવા વધુ સારું રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/8

photoStories-logo

4. કુંભ રાશિને મળશે રાહત, પરંતુ થોડા સમય માટે

કુંભ રાશિના જાતકો માટે 'સાડાસાતી'ના તબક્કાને લગતી પરિસ્થિતિમાં ત્યારે ફેરફાર થશે જ્યારે શનિ મેષ રાશિમાં પ્રવેશ કરશે. આ સમયગાળાને કામચલાઉ રાહત આપનારો માનવામાં આવે છે. જોકે, ઓક્ટોબરમાં જ્યારે શનિ ફરીથી મીન રાશિમાં પાછો ફરશે ત્યારે પરિસ્થિતિ ફરી બદલાઈ જશે. તેથી, જૂન અને ઓક્ટોબર વચ્ચે મળતી રાહતને કાયમી ગણી શકાય નહીં. આ સમય દરમિયાન, બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવા અને નાણાકીય બાબતોમાં વિશેષ સાવચેતી રાખવી ઉપયોગી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/8

photoStories-logo

5. મીન રાશિના જાતકો પર થશે અસર

શનિનું આ ગોચર મીન રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ સાબિત થશે. જોકે જૂનમાં શનિના મેષ રાશિમાં પ્રવેશ સાથે પરિસ્થિતિમાં કામચલાઉ ફેરફાર આવશે, પરંતુ ઓક્ટોબરમાં તેનું મીન રાશિમાં પુનરાગમન જૂનાવિષયઓને ફરીથી સામે લાવી શકે છે. અટકી પડેલા કામો કે પ્રોજેક્ટ્સને ફરી શરૂ કરવાની જરૂર પડી શકે છે અને પારિવારિક જવાબદારીઓમાં પણ વધારો થઈ શકે છે. તેથી, આ સમયગાળા દરમિયાન અધૂરા કાર્યોને ટાળવાને બદલે તેને પૂર્ણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું હિતાવહ રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/8

photoStories-logo

6. મેષ રાશિવાળાએ રાખવી પડશે ધીરજ

શનિનું મેષ રાશિમાં પ્રવેશવું આ રાશિના જાતકો માટે મહત્વપૂર્ણ રહેશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ સમયગાળા દરમિયાન વ્યાવસાયિક બાબતોમાં શિસ્ત અને ધીરજ રાખવાની જરૂર પડશે. કાર્યસ્થળ પર જવાબદારીઓ વધી શકે છે અને કાર્યો પૂર્ણ કરવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે. વ્યવસાયમાં, પૂરતી તૈયારી વિના મોટા જોખમો લેવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. કાર્યસ્થળ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે દલીલ કરવાને બદલે તમારા વિચારો શાંતિપૂર્વક રજૂ કરવા વધુ હિતાવહ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/8

photoStories-logo

7. 2027 માં શનિની ચાલ કેમ મહત્વપૂર્ણ છે?

જ્યોતિષશાસ્ત્રમાં શનિને ધીમી ગતિએ ચાલતો ગ્રહ માનવામાં આવે છે. તે લાંબા સમય સુધી એક જ રાશિમાં સ્થિત રહે છે. પરિણામે, એક રાશિમાંથી બીજી રાશિમાં તેના ગોચરની અસર લાંબા સમય સુધી રહેતી હોવાનું માનવામાં આવે છે. વર્ષ 2027ની એક નોંધપાત્ર બાબત એ છે કે શનિ 3 જૂને મેષ રાશિમાં પ્રવેશ કરશે અને 20 ઓક્ટોબરે મીન રાશિમાં પાછો ફરશે એટલે કે તે એક જ વર્ષમાં બે વાર ગોચર કરશે. આ પરત ફરવાની પ્રક્રિયા શનિની વક્રી ગતિ સાથે સંકળાયેલી છે. તેથી, જૂનથી ઓક્ટોબર સુધીના સમયગાળાને વિશિષ્ટ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/8

photoStories-logo

8. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

shani gochar 2027 double transit 4 zodiac signs alert
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ