ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઝેરી દવા પીને જૂનાગઢમાં વનરાજસિંહ અને રેખાબા ઝાલાએ કર્યો આપઘાત, જાણો કારણ
Last Updated: 12:48 PM, 19 September 2026
ADVERTISEMENT
જૂનાગઢ શહેરમાં આર્થિક સંકડામણને પગલે દંપતીએ ઝેરી દવાની ગોળીઓ ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. બનાવ બાદ બંનેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેનાં મોત નીપજ્યાં હતાં.
ADVERTISEMENT

સારવાર દરમિયાન બંનેનું મોત નિપજ્યા
ADVERTISEMENT
મળતી માહિતી મુજબ, વનરાજસિંહ ઝાલા અને તેમની પત્ની રેખાબા ઝાલાએ ઝેરી દવાની ટીકડીઓ ખાધી હતી. બંનેની તબિયત લથડતાં પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન બંનેનું મોત થયું હતું.

ADVERTISEMENT
આર્થિક સંકડામણના કારણે દંપતીએ પગલું ભર્યુંઃ સૂત્રો
પ્રાથમિક માહિતી અનુસાર, ઘરમાં કોઈ કમાવાવાળું ન હોવા અને આર્થિક સંકડામણના કારણે દંપતીએ આ પગલું ભર્યું હોવાની વિગતો સામે આવી છે. જોકે, આપઘાત પાછળનું ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમનાથના ઈકો-ફ્રેન્ડલી પ્રસાદ પેકેજિંગનું કર્યું ઉદ્ઘાટન
પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે દંપતીના પરિવારજનો તથા સંબંધીઓના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરી છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.
વધુ વાંચો