બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મોદી સરકારની જબરદસ્ત સ્કીમ, ગેરંટી સાથે દર મહિને 5000 રૂપિયાનું મળશે પેન્શન
Last Updated: 07:35 PM, 10 September 2025
Atal Pension Scheme: આજના ઝડપી જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે ભવિષ્યમાં તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. લોકો રોજિંદા આવકમાંથી બચત અને રોકાણ દ્વારા પોતાનું ભવિષ્ય સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરે છે. એ જ દિશામાં કેન્દ્ર સરકાર અટલ પેન્શન યોજના ચલાવે છે.
ADVERTISEMENT
આ યોજના હેઠળ 18 થી 40 વર્ષની વયના ભારતીય નાગરિકો પોતાનું ખાતું ખોલી શકે છે અને નિયમિત યોગદાન આપીને 60 વર્ષની ઉંમર પછી દર મહિને મહત્તમ 5000 રૂપિયાનું પેન્શન મેળવી શકે છે. હાલ દેશભરમાં મોટી સંખ્યામાં લોકો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.

ADVERTISEMENT
સરકારની આ યોજના ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગ માટે છે. ખેડૂતો, દૈનિક વેતન મજૂરો, ઘરકામ કરનારા અને નાના દુકાનદારોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ભારત સરકારે અટલ પેન્શન યોજના શરૂ કરી છે. ચાલો જાણીએ કે અટલ પેન્શન યોજના કેવી રીતે મદદ કરે છે?
અટલ પેન્શન યોજના શું છે
ADVERTISEMENT
અટલ પેન્શન યોજના (APY) એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજના હેઠળ 18 થી 40 વર્ષની વયના ભારતીય નાગરિકો પોતાનું ખાતું ખોલી શકે છે અને નિયમિત યોગદાન આપીને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 1000 થી 5000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકે છે. સરકારે 9 મે 2015 ના અટલ પેન્શન યોજના શરૂ કરી હતી.

ADVERTISEMENT
આ યોજના શા માટે શરૂ કરવામાં આવી હતી?
દેશમાં કરોડો લોકો ખેડૂતો, દૈનિક વેતન મજૂરો, ઘરકામ કરનારા, રિક્ષાચાલક, નાના દુકાનદારો વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં કામ કરે છે. આ લોકોને નિવૃત્તિ પછી કોઈ પેન્શન કે નાણાકીય સુરક્ષા મળતી નથી. આ યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે આવા લોકો વૃદ્ધાવસ્થામાં પણ ગૌરવ સાથે જીવન જીવી શકે અને તેઓ દર મહિને નિશ્ચિત પેન્શન મેળવી શકે.
ADVERTISEMENT
તમારે અટલ પેન્શન યોજના શા માટે લેવી જોઈએ?
તમને યોજના હેઠળ વધુ સારા લાભ આપે છે. યોજના હેઠળ 60 વર્ષની ઉંમર પછી દર મહિને 1000 - 5000 રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. આ યોજનામાં જોડાનાર વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો જીવનસાથીને પેન્શન મળતું રહે છે અને જો પતિ-પત્ની બંનેનું મૃત્યુ થાય છે, તો સંપૂર્ણ રકમ નોમિનીને આપવામાં આવે છે.
ADVERTISEMENT

આ યોજનાનો લાભ લેવા માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમ
આ યોજનાનો લાભ લેવા માટે ભારતીય નાગરિક હોવું જોઈએ.
તમે કરદાતા ન હોવા જોઈએ.
તમારી પાસે બચત ખાતું હોવું ફરજિયાત છે.
તમારી ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
તમે ઇપીએફ જેવી અન્ય કોઈપણ સામાજિક સુરક્ષા યોજનાના સભ્ય ન હોવા જોઈએ.
આ પણ વાંચોઃ નોકરી / લેખિત પરીક્ષાની ઝંઝટ વગર સીધી ભરતી, કેનેરા બેંક સિક્યોરિટીઝમાં નોકરીની ઉત્તમ તક
યોજનામાં જોડાવા માટેની પ્રક્રિયા
સૌ પ્રથમ નજીકની બેંક શાખામાં જઈને અટલ પેન્શન યોજના માટે અરજી કરવી પડે છે. બેંક અધિકારી તમારી KYC પ્રક્રિયા પૂર્ણ કરે છે. ત્યાર પછી તમને પેન્શન પ્લાન પસંદ કરવા કહેવામાં આવે છે. જેમાં 1 હજારથી 5 હજાર રૂપિયા સુધીનો વિકલ્પ હોય છે. પસંદ કરેલ પ્લાનને તમારી બેંક એકાઉન્ટ સાથે લિંક કરી દેવામાં આવે છે અને દર મહિને નક્કી થયેલો પ્રીમિયમ આપોઆપ કાપી લેવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Agniveer Result 2026 / ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી રિઝલ્ટ જાહેર, જાણો કેવી રીતે કરી શકાશે ડાઉનલોડ?
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.