બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સાબરકાંઠા-અરવલ્લીમાં ચાંદીપુરા વાયરસનો ભય વધ્યો, સાબરકાંઠામાં 9 શંકાસ્પદ કેસ નોંધાયા
Last Updated: 02:35 PM, 12 July 2026
સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને લઈને ચિંતા વધી રહી છે. જિલ્લામાં અત્યાર સુધી કુલ 9 શંકાસ્પદ કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. આ કેસોમાંથી 5 બાળકોના મોત થયા છે, જ્યારે 2 બાળકો હાલ સારવાર હેઠળ છે અને અન્ય 2 બાળકો સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ હોવાનું જણાવવામાં આવ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં હાલમાં વધુ એક બાળકીની સારવાર ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના એક ગામની 3 વર્ષીય બાળકીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો જોવા મળ્યા બાદ તેને હિંમતનગર સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગમાં દાખલ કરવામાં આવી છે. બાળકીની તબિયત પર તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે.
ADVERTISEMENT
આ બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જોવા મળતા તેના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લેબના રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થઈ શકશે. ત્યાં સુધી આરોગ્ય વિભાગ દ્વારા કેસને શંકાસ્પદ તરીકે જ ગણવામાં આવી રહ્યો છે અને તમામ જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે.
ADVERTISEMENT
હિંમતનગર સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગમાં હાલમાં બે બાળકીઓ વેન્ટિલેટરની મદદથી સારવાર લઈ રહી છે. નિષ્ણાત તબીબોની ટીમ તેમની સારવારમાં વ્યસ્ત છે અને બંને બાળકોના આરોગ્ય પર સતત નજર રાખવામાં આવી રહી છે. હોસ્પિટલમાં જરૂરી સારવાર અને દેખરેખની તમામ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
બીજી તરફ અરવલ્લી જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે. બાયડ તાલુકાના એક ગામમાં બાળકીમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તાત્કાલિક આરોગ્ય ટીમને સક્રિય કરવામાં આવી છે. બાળકીના સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંક્રમણના સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગે ગામમાં ફોગિંગની કામગીરી શરૂ કરી છે. સાથે જ સ્થાનિક લોકોને સતર્ક રહેવા, બાળકોના સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન રાખવા અને તાવ અથવા અન્ય ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ સમગ્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યો છે. શંકાસ્પદ દર્દીઓની સારવાર, સેમ્પલની તપાસ અને જરૂરી સર્વેલન્સની કામગીરી સાથે સંક્રમણને ફેલાતું અટકાવવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.