બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકાર ખેડૂતોને દર મહિને આપે છે 3000 રૂપિયા, જાણો કેવી રીતે મળશે યોજનાનો લાભ
Last Updated: 10:11 PM, 20 July 2025
સરકાર દેશમાં ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવે છે. આમાંની ઘણી યોજનાઓ ખેડૂતોની આવક વધારવા માટે છે. સરકાર વૃદ્ધાવસ્થામાં જીવન સરળ બને અને સહાયતા માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. પરંતુ ઘણા ખેડૂતો આવી યોજનાઓથી વાકેફ નથી. જેના કારણે તેઓ લાભ લઈ શકતા નથી.
ADVERTISEMENT

તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ, સરકાર દર મહિને સીધા ખાતામાં પૈસા મોકલે છે. જેથી ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં તેમની જરૂરિયાતો માટે બીજા પર નિર્ભર ન રહેવું પડે. જો તમે પણ ખેડૂત છો. તો પછી એ જાણવું મહત્વપૂર્ણ છે કે તમે આ યોજના માટે પાત્ર છો કે નહીં. તો ચાલો આ યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીએ..
ADVERTISEMENT
આ ખેડૂતોને દર મહિને 3000 રૂપિયા મળે છે
જો તમે નાના કે સીમાંત ખેડૂત છો, તો તમે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનાનો લાભ લઈ શકો છો. આ યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આર્થિક મદદ આપવાનો છે. 60 વર્ષની ઉંમર પૂર્ણ કરવા પર, ખેડૂતોને દર મહિને પેન્શન તરીકે 3000 રૂપિયા આપવામાં આવે છે. 18 થી 40 વર્ષની વયના ખેડૂતો આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ખેડૂતે તેની ઉંમર અને પ્રીમિયમ અનુસાર દર મહિને 55 થી 200 રૂપિયાનું યોગદાન આપવાનું રહેશે.
ADVERTISEMENT

આ પછી, સરકાર ખેડૂતના ખાતામાં સમાન રકમ જમા કરે છે. પાકતી મુદત પછી, ખેડૂતને પેન્શન મળવાનું શરૂ થાય છે જેથી તેને વૃદ્ધાવસ્થામાં બીજાના પૈસા પર નિર્ભર ન રહેવું પડે. જણાવી દઈએ કે યોજનાનો લાભ મેળવવા માટે, તમારે પહેલાથી જ NPS અથવા PF જેવી કોઈપણ પેન્શન યોજનાનો ભાગ ન બનવું જોઈએ.
ADVERTISEMENT
તમે યોજના માટે કેવી રીતે અરજી કરી શકો છો?
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં જોડાવા માટે, તમારે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જવાનુ રહેશે. ત્યાં આધાર કાર્ડ, બેંક પાસબુક અને જમીનના ડોક્યુમેંટ બતાવીને રજીસ્ટ્રેશન કરાવી શકાય છે. અરજી કરતી વખતે, તમારે મોબાઇલ નંબર, આધાર નંબર, બેંક ખાતાની વિગતો અને નોમિની વિગતો આપવાની રહેશે.
ADVERTISEMENT
વધુ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના, ઉડ્ડયન મંત્રી રામ મોહને US મીડિયા રિપોર્ટ્સને ફગાવ્યા
રજીસ્ટ્રેશન પછી, નક્કી કરેલુ પ્રીમિયમ દર મહિને બેંક ખાતામાંથી આપમેળે ડેબિટ થશે. જો તમે ઇચ્છો તો, તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો. આ માટે, તમે વેબસાઇટ pmkmy.gov.in પર જઈને સેલ્ફ- એનરોલમેંટ કરી શકો છો. અરજી પૂર્ણ થતાની સાથે જ, તમને પેન્શન એકાઉન્ટ નંબર મળશે અને 60 વર્ષ પછી, તમને દર મહિને 3000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.